અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત, ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવા કરાઈ અરજી, ભક્તોએ પોતાની રીતે શરૂ કરી તૈયારી
અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત છે. રાજ્ય સરકારનો રથયાત્રાને લઈને નિર્ણય બાકી હોવાના કારણે અસમંજસતાના માહોલમાં નાથની નગરયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મંદિરની બહાર ધ્વજ પતાકા ,બેરીકેટો, ડેકોરેશનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. નાથની નગરયાત્રાને લઈ પોળના રહિશોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે પરંતુ રથયાત્રાના નિર્ણય પર સૌની નજર રહેલી છે […]
અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત છે. રાજ્ય સરકારનો રથયાત્રાને લઈને નિર્ણય બાકી હોવાના કારણે અસમંજસતાના માહોલમાં નાથની નગરયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મંદિરની બહાર ધ્વજ પતાકા ,બેરીકેટો, ડેકોરેશનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. નાથની નગરયાત્રાને લઈ પોળના રહિશોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે પરંતુ રથયાત્રાના નિર્ણય પર સૌની નજર રહેલી છે કે કઈ રીતે તે પાર પાડવામાં આવશે. હાલમાં તો મંદિરમાં સાદાઈથી રથયાત્રાની તૈયારીઓ કરાઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં રથયાત્રા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા ન કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ અરજદારે આ અરજી પર ઝડપી સુનાવણી કરવાની પણ માંગ કરી છે. સાંભળ શું કહી રહ્યા છે ભક્તજનો.