અમદાવાદમાં હોસ્પિટલ ન ખોલનારા તબીબો સામે કાર્યવાહી, મનપાએ 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી
અમદાવાદમાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હોસ્પિટલ બંધ કરીને બેસેલા ખાનગી તબીબો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી છે અને 48 કલાકમાં દવાખાનું ખોલવા આદેશ કર્યો છે. જો વારંવાર કહેવા છતા તબીબો દવાખાનું નહીં ખોલે તો તેમને કોવિડ સેન્ટરમાં ફરજ સોંપાઈ શકે છે. આવા તબીબોને હોમ […]
અમદાવાદમાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હોસ્પિટલ બંધ કરીને બેસેલા ખાનગી તબીબો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી છે અને 48 કલાકમાં દવાખાનું ખોલવા આદેશ કર્યો છે. જો વારંવાર કહેવા છતા તબીબો દવાખાનું નહીં ખોલે તો તેમને કોવિડ સેન્ટરમાં ફરજ સોંપાઈ શકે છે. આવા તબીબોને હોમ ક્વૉરન્ટાઈન દર્દીઓની સારવારની પણ ફરજ સોંપાઈ શકે છે. જો કે 65 વર્ષથી વધુના તબીબને દવાખાનું ખોલવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યું! અમદાવાદમાં નવી 8 કોવિડ હોસ્પિટલ શરૂ, પ્રત્યેક હોસ્પિટલમાં હશે 800 બેડની વ્યવસ્થા
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો