સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ : શું જતીન સોનીને મળશે ક્લીનચીટ કે પછી સાબિત થશે ગુનેગાર ?

જતીન સોનીને પહેલાથી જ રજીસ્ટ્રારના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સિન્ડીકેટના સિનીયર મેમ્બરો અને કુલપતિ-ઉપકુલપતિની મઘ્યસ્થીથી જતીન સોની પહેલા રજા પર ઉતર્યા અને ત્યારબાદ તેઓએ રજીસ્ટ્રારના પદ પરથી રાજીનામૂ આપી દીધું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ : શું જતીન સોનીને મળશે ક્લીનચીટ કે પછી સાબિત થશે ગુનેગાર ?
Alleged Saurashtra University scam
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:34 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડને લઇને 25 મી ઓગસ્ટે નિર્ણય આવી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આગામી 25 મી તારીખે સર્વોચ વહીવટી બોડી સિન્ડિકેટ સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના કુલપતિ દ્રારા કથિત માટી કૌંભાડને લઇને તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરશે.

સિન્ડિકેટના સભ્યો તપાસ કમિટીના આ રિપોર્ટના આધારે માટી કૌંભાડમાં કોઇ ગેરરિતી થઇ છે કે કેમ અને કોઇ ગુનેગાર છે કે કેમ તે અંગેનો નિર્ણય લેશે અને જો કોઇ ગુનેગાર હશે તો તેની સામે કાર્યવાહી કરવી કે કેમ તે અંગેની જાહેરાત કરવામાં આવશે. આ માટી કૌંભાડમાં શારિરીક શિક્ષણ વિભાગના વડા અને પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોની સામે ગેરરિતીના આક્ષેપો લગ્યા છે ત્યારે સિન્ડિકેટની બેઠક જતીન સોનીને ક્લીનચીટ આપશે કે ગુનેગાર જાહેર કરશે તે અંગેનો નિર્ણય આવશે.

રજૂ થયેલા બે અલગ અલગ રિપોર્ટ રજૂ થશે

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કથિત માટી કૌંભાડમાં જે પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી તેમાં એકસૂત્રતા જળવાય ન હતી. તપાસ સમિતીના સભ્ય હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતુ કે કમિટી દ્રારા જે તપાસ રિપોર્ટ માટેની બેઠક મળી હતી તેમાં ભાવીન કોઠારી હાજર ન હોવા છતા તેમની સહી હતી જેથી રિપોર્ટ અગાઉથી તૈયાર થયો તેવી શંકા હતી પરિણામે તેમણે પોતાનો અલગ રિપોર્ટ કુલપતિને જમા કરાવ્યો હતો ત્યારે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કહ્યું હતુ કે તપાસ કમિટીએ જે બે રિપોર્ટ તૈયાર કર્યા છે બંન્ને રિપોર્ટ સિન્ડીકેટમાં મૂકવામાં આવશે જેના આધારે નિર્ણય લેવામાં આવશે.

માટી કૌંભાડમાં ગેરરિતી નહિ-બેજવાબદારી -રિપોર્ટ

સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં તપાસ સમિતી દ્રારા જતીન સોનીએ ગેરરિતી ન આચરી હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જો કે પોતે શારિરીક શિક્ષણના વડા હોવાના કારણે તેઓની બેદરકારી જરૂર સામે આવી છે. 25 મી તારીખે તપાસ સમિતી દ્રારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે જતીન સોનીની બેદરકારીને લઇને તેની સામે પગલા લેવા કે નહિ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું છે કે જતીન સોનીને પહેલાથી જ રજીસ્ટ્રારના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સિન્ડીકેટના સિનીયર મેમ્બરો અને કુલપતિ-ઉપકુલપતિની મઘ્યસ્થીથી જતીન સોની પહેલા રજા પર ઉતર્યા અને ત્યારબાદ તેઓએ રજીસ્ટ્રારના પદ પરથી રાજીનામૂ આપી દીધું હતુ.

આ પણ વાંચો – દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક

આ પણ વાંચો – પહેલા નાનાએ 7 વર્ષની માસુમ ભાણીને મોસાળમાં બોલાવી, બાદમાં સગા મામા, નાના અને ભાઈએ મળીને કર્યો સામુહિક બળાત્કાર, જાણો સમગ્ર મામલો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">