અદાણી કેસમાં કોંગ્રેસ જે JPCની માગ કરી રહી છે તે શું છે? તેના હક્કો શું છે અને તેમાં વિપક્ષની કેટલી હોય છે ભાગીદારી, વાંચો અહીં

અદાણી મામલે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા કોંગ્રેસ અદાણી મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રચવાની માગ કરી રહી છે. આ જેપીસીના શું હક્કો રહેલા છે તેમા વિપક્ષની કેટલી ભાગીદારી હોય છે તેના વિશે વિગતવાર જાણકારી માટે વાંચો આગળ.

અદાણી કેસમાં કોંગ્રેસ જે JPCની માગ કરી રહી છે તે શું છે? તેના હક્કો શું છે અને તેમાં વિપક્ષની કેટલી હોય છે ભાગીદારી, વાંચો અહીં
ગૌતમ અદાણી
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 06, 2023 | 8:40 PM

અદાણી કેસને લઈ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ રસ્તાથી લઈ સંસદ સુધી વિરોધ કરી રહ્યું છે. આજે સમગ્ર દેશમાં એલ.આઈ.સી કચેરી બહાર કોંગ્રેસે દેખાવો પણ યોજ્યા. કોંગ્રેસ અને 13 વિપક્ષી પાર્ટીઓ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગ પણ કોંગ્રેસ કરી રહ્યું છે. સંસદના બંને ભવનના સભ્યોને સમાવતી આ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી શું છે એ સમજીએ.

જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સંસદની એક કમિટી છે. જેમાં તમામ પક્ષોને સમાન ભાગીદારી મળે છે. લોકસભા-રાજ્યસભામાં જે પાર્ટીની જેટલી ટકાવારી એટલી સંખ્યામાં જેપીસીમાં ભાગીદારી મળે છે. એમાં કેટલા સભ્ય હોય એ કંઈ નિશ્ચિત નથી હોતું. જેપીસીના એ અધિકાર હોય છે કે તે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે કોઈપણ એ પક્ષ કે જેની સામે આક્ષેપો છે અને એની તપાસ માટે જેપીસીની નિમણૂક થઈ છે એને બોલાવી શકે છે અને એ વ્યક્તિ, પક્ષ કે સંસ્થા જો જેપીસી સમક્ષ હાજર નથી થતા તો એ સંસદની અવમાનનાના ઉલ્લંઘન સમાન બનશે. જે કેસ ચાલી રહ્યો છે એ સંદર્ભમાં જેપીસી વ્યક્તિ કે સંસ્થા પાસેથી લેખિત, મૌખિક કે પછી બંનેમાં જવાબ માંગી શકે છે.

અત્યાર સુધી કેટલીવાર જેસીપી નું ગઠન થયું?

  1. ઓગષ્ટ 1987માં પહેલીવાર બોફોર્સ ઘોટાળામાં જેપીસી રચાઈ, કોંગ્રેસ નેતા બી.શંકરાનંદ જેપીસી ના અધ્યક્ષ હતા, કમિટીના કોંગ્રેસ સભ્યોએ રાજીવ ગાંધી સરકારને ક્લીન ચિટ આપી હતી.
  2.  ઓગષ્ટ 1992માં હર્ષદ મહેતાના શેર ઘોટાળો સામે આવ્યો અને ત્રીજીવાર જેસીપીનું ગઠન થયું. કોંગ્રેસ નેતા રામ નિવાસ તેના અધ્યક્ષ હતા. કમિટીની ભલામણોનો ના પુરી રીતે સ્વીકાર થયો કે ના લાગુ કરાઈ. બાદમાં આવેલ જનરલ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ હતી
  3. IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
    ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
    IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
    IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
    અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
    કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
  4. 26 એપ્રિલ 2001 માં ફરી એકવાર શેર બજાર ઘોટાળા જેપીસી બનાવાઈ. કેતન પારેખ ઘોટાળા માટે બનેલી કમિટીના અધ્યક્ષ ભાજપ સાંસદ પ્રકાશ મણિ ત્રિપાઠી હતા. કમિટીએ શેરબજારને લઈ ભલામણો કરી હતી.
  5. ચોથી વાર ઓગસ્ટ 2003માં ભારતમાં બનતા સોફ્ટ ડ્રિંક્સમાં કીટનાશક હોવા અંગે જેપીસી નું ગઠન કરાયું હતું. એનસીપી પ્રમુખ શરદ પવારની અધ્યક્ષતામ બનેલ કમિટીએ પીવાના પાણી માટે માપદંડોની ભલામણો કરી હતી.
  6. 2જી સ્પેક્ટ્રમ મામલે દેશમાં પાંચમી વાર જેસીપીનું ગઠન કરાયું. 2જી સ્પેક્ટ્રમ માં કોંગ્રેસ નેતા પીસી ચાકો અધ્યક્ષ હતા અને જેમની સામે આક્ષેપ થયા હતા એ મનમોહનસિંહ અને પી ચિદમ્બરમને ક્લીન ચિટ અપાઈ હતી.
  7. સૌથી છેલ્લે 2013માં VVIP હેલિકોપ્ટર ખરીદી કૌભાંડમાં જેપીસીનું ગઠન કરાયું હતું.

જેપીસીનું ગઠન લોકસભામાં બહુમત સાથે કરવામાં આવે છે. સરકાર ઈચ્છે તો જ જેપીસીનું ગઠન થઈ શકે છે. હાલની સ્થિતિમાં સરકાર પોતે જેસીપી ગઠન ઇચ્છતી ના હોય એમ લાગી રહ્યું છે. આ સિવાય જેસીપીના અધ્યક્ષ સત્તા પક્ષના અને બહુમત સભ્યો પણ સત્તા પક્ષના જ હોવાના કારણે સામાન્ય રીતે સરકારનો પ્રભાવ રિપોર્ટ પર વધારે જોવા મળતો હોય છે.

આ પણ વાંચો : Ahmedabad: અદાણી કેસમાં JPC રચવાની માગ સાથે રાજ્યભરમાં LIC કચેરી સામે કોંગ્રેસે કર્યા દેખાવો

સરકાર કેમ જેપીસીનું ગઠન નથી કરી રહી?

2024 લોકસભા ચૂંટણી પૂર્વે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. જેને લોકસભા પૂર્વેની સેમિફાઇનલ માનવામાં આવે છે. અધ્યક્ષ સિવાય એ પૂર્વ અન્ય સભ્યો જાહેરમાં કે મીડિયા માં આવી કંઈ બોલી જાય તો બદનામી થઈ શકે. આ સિવાય કમિટી બની હોય તો એમાં શું સામે આવ્યું એ પ્રશ્ન ઉભો જ રહે એટલા માટે પણ સરકાર ના ઈચ્છે કે જેપીસી નું ગઠન થાય.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">