ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવા આવતી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી.તેમજ વધુમાં જણાવ્યું કે વેજીટેરિયન સર્ટિફિકેટ પ્રાથમિક તપાસ અને ધારણાને આધારે આપવામાં આવે છે.
ગુજરાત(Gujarat) માં વેચવામાં આવતા અને વેજેટીરીયન(Vegetarian) હોવાનો દાવો કરાતા રેડી ટુ ઇટ ફૂડ વેજીટેરિયન(શાકાહારી) જ છે તે પ્રમાણિત કરવા માટે સરકારે પાસે કોઇ વ્યવસ્થા નથી. આ વાતનો સ્વીકાર ખુદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એક કેસની સુનવણીમાં કર્યો છે.
હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિગતવાર સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો
તેમજ આ અંગે ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે એનો મતલબ એ છે કે ગ્રીન ટેગ ઘરાવતા ફૂડ એ વેજીટેરિયન છે તે પ્રમાણિત કરવા માટે કોઇ વ્યવસ્થા નથી. હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિગતવાર સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે.એક્ટિંગ ચીફ જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ એક જાહેર હિતની અરજીની સુનવણી દરમ્યાન આ બાબત જણાવી હતી.
જાહેર હિતની અરજી મુંબઈ સ્થિત જીવદયા મંડળી દ્વારા એડવોકેટ નિમેશ કાપડિયાએ કરી હતી જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.
લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી
આ અંગે જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવા આવતી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી.તેમજ વધુમાં જણાવ્યું કે વેજીટેરિયન સર્ટિફિકેટ પ્રાથમિક તપાસ અને ધારણાને આધારે આપવામાં આવે છે.આ અંગે અદાલતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આ કેવી રીતે ચલાવી લેવાય. જ્યારે લોકો ગ્રીન ટેગને વેજીટેરિયન ફૂડ હોવાનું માને છે. તેમજ જો તે વેજેટીરિયન ફૂડ નથી તો તે સ્વીકારવા યોગ્ય નથી.
સરકારની જવાબદારી છે કે આ અંગેની યોગ્ય માહિતી લોકોને મળે
તેમજ આ રીતે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ તેમ છે. તેમજ આ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો પણ ભંગ છે.હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે આ સરકારની જવાબદારી છે કે આ અંગેની યોગ્ય માહિતી લોકોને મળે.તેમજ ગ્રાહકને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે પેક કરવામાં આવેલું ગ્રીન ટીક ઘરાવતું ફૂડ 100 ટકા વેજીટેરિયન છે. તેમજ તેમાં કોઇ પણ નોન-વેજ મટિરિયલ એડ કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ
આ પણ વાંચો : Ahmedabad : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે