Viramgam: શાહપુર ગામમાં કાર ખસેડવા બાબતે થઈ જૂથ અથડામણ, 4 લોકો થયા ઈજાગ્રસ્ત
Viramgam: શાહપુર ગામમાં કાર ખસેડવા બાબતે થઈ જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે.
Viramgam: શાહપુર ગામમાં કાર ખસેડવા બાબતે થઈ જૂથ અથડામણ (Group clash) થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ જૂથ અથડામણમાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂબેન પઢારના બે પુત્ર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત (Injured) થયા હતા. સામાન્ય બાબતે બબાલ થતા જ લાકડી અને ધારિયા સહિતના હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. મહત્વનું છે કે, રસ્તામાં છકડા ચાલક આવતા કાર ખસેડવાના મુદ્દે માથાકૂટ થઈ હતી.
#Viramgam : 4 injured in clash between two groups over old rivalry#Gujarat #TV9News pic.twitter.com/HNNmTMtfdo
— Tv9 Gujarati (@tv9gujarati) May 2, 2022
તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા
તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ તાલાલા ગીરથી નોર્થ ઈસ્ટથી 13 કિમી દૂર નોંધાયુ છે. વહેલી સવારે 6.58 વાગે ભૂકંપ આંચકો અનુભવાયો હતો. મહત્વનું છે કે થોડા દીવસ પહેલા કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલ ભૂકંપની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા
આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો