TMKOC : અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સામે અમદાવાદમાં એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની પ્રસિદ્ધ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ બબીતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

| Updated on: May 23, 2021 | 3:49 PM

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની પ્રસિદ્ધ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ બબીતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં મુનમુન દત્તા ઉર્ફે બબીતોનો એક વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અને, હવે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

પહેલા ફરિયાદને હવે નોંધાયો એટ્રોસિટી એક્ટનો ગુનો
જેમાં તેણીએ વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ દલિત સમાજ દ્વારા મુનમુન દત્તા સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે. જેને પગલે સમાજ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે જ અમદાવાદના ખોખરા પોલીસે મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

અમદાવાદના ખોખરામાં વકીલે અભિનેત્રી સામે ફરિયાદ કરી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો તેમણે જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો પ્રયોગ થયો છે.

વાલ્મિકી સમાજની લાગણી દુભાઇ હોવાથી સમાજમાં વિરોધ

જેને પગલે દેશ તેમજ ગુજરાતમાં રહેતા વાલ્મિકી સમાજના લોકોની લાગણી દુભાઇ છે. સરકારે પ્રતિબંધિત કરેલા આ શબ્દનો ઉપયોગ સમાજને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદી વકીલ મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પહેલા અભિનેત્રી સામે સુરતમાં પણ વિરોધ થયો હતો
આ પહેલા સુરતમાં પણ વિરોધ થયો હતો. જેમાં મુનમુન દત્તા સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઇ હતી. વાલ્મિકી સમાજનુ અપમાન કર્યુ હોવાની લાગણી સાથે વિરોધ કરાઈ રહ્યો છે. અભિનેત્રી સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાઈ તેવી માંગ કરવામાં આવી હતી. સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ ચીમકી આપી કે,મુન મુન દત્તા સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી ન થાય તો અનશન પર બેસવાની શરૂઆત કરવામાં આવશે.

 

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">