એરપોર્ટ પર પાર્કિંગ ફી માત્ર મુસાફરોની સુવિધા માટે છે, પરંતુ બીજું કંઈ નથી
એરપોર્ટ પર કેબ ડ્રાઈવરો પાસેથી પાર્કિગ ફી વસૂલવાની શરૂઆત મુસાફરોની સુવિધા માટે કરવામાં આવી છે અને આ એક રણનીતિનો ભાગ છે.
એરપોર્ટ પર કેબ ડ્રાઈવરો પાસેથી પાર્કિગ ફી વસૂલવાની શરૂઆત મુસાફરોની સુવિધા માટે કરવામાં આવી છે અને આ એક રણનીતિનો ભાગ છે. આ પહેલા આપણે આરોપ લગાવીએ કે અન્ય મહાનગરોમાં એરપોર્ટ પર પાર્કિગ ફી વસૂલવામાં આવતી નથી, તે પહેલા આપણે એ સમજવાની જરૂરિયાત છે કે આખરે આ નિર્ણય કેમ લેવો પડ્યો?
ઘણી વખત કેબ ઓપરેટર ભાડુ વધારવા માટે જાણી જોઈને ટ્રીપ કેન્સલ કરી દે છે. તે મુસાફરો પાસેથી વધારે પૈસા વસૂલવાની કેબ ડ્રાઈવરોની રીત છે. તે સિવાય ઘણી વખત જોવા મળે છે કે કેબ ડ્રાઈવર આખી રાત ગાડી એરપોર્ટ પર જ મુકી દે છે. તે એરપોર્ટની સુરક્ષા માટે ચિંતાનું કારણ બની જાય છે. ઘણી વખત જોવા મળે છે કે કેબ ડ્રાઈવર એરપોર્ટ પર હંગામો કરવા લાગે છે. તે અન્ય ડ્રાઈવરોની સાથે જુગાર રમે છે અને અન્ય ગેરકાયદેસર કામ કરે છે.
કેબ ડ્રાઈવરોની આ પ્રકારની ગતિવિધિઓ સુરક્ષા માટે ચિંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે વધારે ચિંતાની વાત છે. તેમની સુરક્ષા દેશની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સુવિધા માટે કેબ ડ્રાઈવરો પાસેથી વધારે ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર એક કલાકના મફત પાર્કિગ સિવાય દરેક કલાકે વધારાના 50 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર તે 110 અને 150 રૂપિયા પ્રતિ કલાક છે. આ પૈસા મુસાફરોને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એવું નથી કે આ માત્ર ભારતમાં જ થાય છે. કેબ બૂક કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને દુનિયાભરના એરપોર્ટ પર આ પ્રકારની ફી વસૂલવામાં આવે છે.
આ નિર્ણયને આપણે ઘણી રીતે જોઈ શકીએ છીએ. મુસાફરો પાસેથી બિનજરૂરી ભાડું એકત્રિત કરવાના પ્રયત્નો ઘટાડવા, મુસાફરોને સલામતીના કારણોને ધ્યાનમાં રાખીને અને સારૂ વાતાવરણ પૂરૂ પાડવા માટે ઝડપથી વિકસતા ભારતીય ઔદ્યોગિક સંગઠનનો આ એક રચનાત્મક વ્યૂહાત્મક નિર્ણય છે.