ફાયરસેફ્ટીના અભાવે બની પિરાણા પિપળજની ઘટના, સત્તાધારીએ નિયમોનું પાલન કરાવવુ આવશ્યકઃ સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકી
અમદાવાદના પિરાણા પિપળજ રોડ ઉપરની ફેકટરીના બોઈલર ફાટતા લાગેલી આગ અને તુટી પડેલા સ્લેબને કારણે કુલ નવ વ્યક્તિના મોત નિપજ્યા છે. આ પ્રકારની ઘટનાઓ ફાયર સેફ્ટીના અભાવે બનતા હોવાનું અમદાવાદ પશ્ચિમના સાસંદ કિરીટ સોલંકીએ જણાવ્યું. જો કે તેમણે આડકતરી રીતે સત્તાધારી ભાજપને પણ આ પ્રકારની ઘટના માટે જવાબદાર ઠરાવતા કહ્યું કે, નિયમોનું ચૂસ્ત પાલન કરાવવુ […]
અમદાવાદના પિરાણા પિપળજ રોડ ઉપરની ફેકટરીના બોઈલર ફાટતા લાગેલી આગ અને તુટી પડેલા સ્લેબને કારણે કુલ નવ વ્યક્તિના મોત નિપજ્યા છે. આ પ્રકારની ઘટનાઓ ફાયર સેફ્ટીના અભાવે બનતા હોવાનું અમદાવાદ પશ્ચિમના સાસંદ કિરીટ સોલંકીએ જણાવ્યું. જો કે તેમણે આડકતરી રીતે સત્તાધારી ભાજપને પણ આ પ્રકારની ઘટના માટે જવાબદાર ઠરાવતા કહ્યું કે, નિયમોનું ચૂસ્ત પાલન કરાવવુ જોઈએ. ચુસ્ત પગલા ભરીને પણ કાયદાઓનું પાલન થવુ જોઈએ. સૌ કોઈ માટે નિયમોનુ પાલન આવશ્યક છે. જરુર પડ્યે બંધારણીય જોગવાઈમાં સુધારીને પણ કાયદાઓ અને નિતી નિયમોનું પાલન થાય તે જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો