Rath Yatra LIVE : નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ, શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ રથયાત્રા
અમદાવાદની ઐતિહાસિક 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે. પોલીસ કમિશનરે આભાર વ્યક્ત કર્યો છે.
Rath Yatra LIVE : અમદાવાદની ઐતિહાસિક 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે.અમદાવાદ પોલીસ કમિશનરે શહેરીજનોનો આભાર માન્યો છે. પ્રજા અને પોલીસની સમજદારીથી આ રથયાત્રા પૂર્ણ થઇ છે. 3 કલાક 40મિનિટમાં જ યાત્રા પૂર્ણ થઇ છે. કોરોનાના તમામ નિયમો સાથે શાંતિપૂર્ણ રીતે યાત્રા પૂર્ણ થઇ છે.
રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરવામાં આવી હતી.
Latest Videos
Latest News