Rathyatra 2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇને પ્રસાદ માટેની તૈયારીઓ શરૂ

અમદાવાદના રથયાત્રામાં(Rathyatra 2022) મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે. મગ એ આરોગ્યની દ્રષ્ટીએ પૌષ્ટીક છે. શક્તિવર્ધક છે. મામાના ઘરે જાંબુ કેરી ખાતા ભગવાનની આંખો આવે છે બીમાર પડે છે.. બીમારીમાં મગ શક્તિવર્ધક ગણાય છે.

Rathyatra 2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇને પ્રસાદ માટેની તૈયારીઓ શરૂ
Ahmedabad Jagganath TempleImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 11:25 PM

અમદાવાદમાં(Ahmedabad) ભગવાન જગન્નાથજીની રથયાત્રાના(Rathyatra 2022)ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં જોડાતા ભક્તોને મગનો પ્રસાદ(Prasad)  આપવામાં આવે છે ત્યારે મંદિરમાં મગ સાફ કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. બે વર્ષથી કોરોનાકાળમાં બહેનો સેવામાં જોડાઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે અષાઢી બીજના 15 દિવસ પહેલાથી જગન્નાથ મંદિરમાં મગ સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.રથયાત્રામાં મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે. મગ એ આરોગ્યની દ્રષ્ટીએ પૌષ્ટીક છે. શક્તિવર્ધક છે. મામાના ઘરે જાંબુ કેરી ખાતા ભગવાનની આંખો આવે છે બીમાર પડે છે.. બીમારીમાં મગ શક્તિવર્ધક ગણાય છે. તેથી મગના પ્રસાદ પર વિશેષ ધ્યાન અપાય છે. તો રથયાત્રામાં જોડાતા ભક્તો પણ મગનો પ્રસાદ ખાસ લેતા હોય છે.

માલપૂવાના પ્રસાદ બનાવવાની પણ તડામાર તૈયારીઓ શરૂ

આ ઉપરાંત અમદાવાદમાં 145મી જગન્નાથ રથયાત્રાને પગલે માલપૂવાના પ્રસાદ બનાવવાની પણ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ભગવાનને અમાસના દિવસે માલપુવા અને દૂધપાક ધરાવવામાં આવશે. કાળી રોટી અને ધોળી દાળનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે મામાના ઘરેથી આવ્યા બાદ ભગવાનને વિશેષ રીતે માલપૂવા અને દૂધ પાકનો પ્રસાદ ધરાવાશે. ભગવાનને ધરાવ્યા બાદ વર્ષ દરમિયાન માલપૂવા અને દૂધપાક પ્રસાદ તરીકે અપાય છે.

રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન

અમદાવાદ  શહેરમાં 1 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાનેલઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ બે વર્ષ બાદ નીકળી રહેલી રથયાત્રાના પગલે તેની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્નર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમજ  શહેર પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે રથયાત્રામાં પોલીસ ડ્રોન સાથે પ્રથમ વખત હેલિકોપ્ટરથી નજર રાખશે. રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન બનાવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શહેર પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપ્ટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ  હેલિકોપ્ટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપ્ટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપ્ટર મારફતે નજર રખાશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">