Rath Yatra LIVE : અમિત શાહ પહોંચ્યા મંગળા આરતીમાં, નિહાળો નાથની મંગળા આરતી TV-9 પર
Rath Yatra LIVE : ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં અમિત શાહ પહોચ્યા અને આરતી કરી હતી. તેમની સાતે મહંત દિલિપ દાસજી અને મંડળનાં સભ્યો પણ જોડાયા હતા.
Rath Yatra LIVE :અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144 Rathyatra) નિયમો સાથે નિકળશે. રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે. આ પહેલા તમામ તૈયારીઓ થઇ ગઈ છે. આ પહેલા મંદિર બહાર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
દર વર્ષની માફક આ વર્ષ પણ અમિત શાહજગન્નાથ મંદિરમાં આવી પહોંચ્યા છે. મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ ભાગ લીધો હતો. તેમની સાથે મહંત દિલિપ દાસજી અને મંડળનાં સભ્યો પણ જોડાયા હતા.
Latest Videos
Latest News