Ahmedabad: ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી, સરકાર તરફથી નિર્ણયની જોવાતી રાહ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે કે નહીં તે અંગેનો નિર્ણય હજુ બાકી છે. આજે મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી શકે છે. જો કે પોલીસ પાસે સૌ પ્રથમ જળયાત્રા માટે મંજૂરી મગાશે.

| Updated on: Jun 14, 2021 | 9:52 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra) નિકળશે કે નહીં તે અંગેનો નિર્ણય હજુ બાકી છે. આજે મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી શકે છે. જો કે પોલીસ પાસે સૌ પ્રથમ જળયાત્રા માટે મંજૂરી મગાશે. જળયાત્રા માટે એક વખત સત્તાવાર મંજૂરી મળી જાય પછી રથયાત્રાની મંજૂરી મેળવવા માટેનો માર્ગ મોકળો બનશે તેમ મંદિરનાં સૂત્રોનું માનવુ છે.

24 જૂનના રોજ ભગવાનની જળયાત્રા સાદાઈથી યોજવા માટે રાજ્ય સરકારે મંજૂરી અગાઉથી જ આપી દીધી છે. જેને લઈને મંદિર તરફથી જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રામાં 18 ગજરાજો મંદિર પટાંગણમાં ઉપસ્થિત રહેશે. મંદિરમાં ખુબ ઓછા લોકોની હાજરી સાથે જળયાત્રા કાઢવામાં આવશે.

કોરોનાને કારણે સરકારે રથયાત્રા અંગે કોઈ નિર્ણય લીધો નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમય અને સંજોગો જોઈને રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે તેવુ નિવેદન કર્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શહેરના પોલીસના અધિકારીઓ મંદિરના સતત સંપર્કમાં છે. સરકાર તરફથી મંજૂરી આવે કે ન આવે મંદિર તરફથી રથયાત્રા માટેની તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">