જોવા મળ્યો Policeનો માનવીય ચહેરોઃ પોલીસ દ્વારા ખોટી રીતે કનડગત પામેલા વિદ્યાર્થીઓની પોલીસે જ કરી આગતાસ્વાગતા

સામાન્ય રીતે લોકો પોલીસથી દૂર રહેતા હોય છે અથવા તો પોલીસ(Police)ની ખોટી કનડગતની ફરિયાદ કરતા હોય છે, પરંતુ પોલીસ બેડા દ્વારા એક નવીન અભિગમ હાથ ધરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જ ખોટી કનડગત પામેલા લોકોને મુસીબતમાંથી બહાર લાવવા પગલાં પણ લેવામાં આવે છે.

જોવા મળ્યો Policeનો માનવીય ચહેરોઃ પોલીસ દ્વારા ખોટી રીતે કનડગત પામેલા વિદ્યાર્થીઓની પોલીસે જ કરી આગતાસ્વાગતા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 19, 2022 | 10:29 PM

અમદાવાદના મણિનગર પોલીસ (Ahmedabad Police) બાદ હવે ઓઢવ પોલીસે પણ પોતાની ઉત્તમ ફરજ બજાવતા પોલીસ દ્વારા જ ખોટી રીતે હેરાનગતિ પામેલા વિદ્યાર્થી વાહનચાલકોને સમસ્યામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લોકો પોલીસથી દૂર રહેતા હોય છે અથવા તો પોલીસ (Police)ની ખોટી કનડગતની ફરિયાદ કરતા હોય છે, પરંતુ પોલીસ બેડા દ્વારા એક નવીન અભિગમ હાથ ધરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જ ખોટી કનડગત પામેલા લોકોને મુસબતમાંથી બહાર લાવવા પગલાં પણ લેવામાં આવે છે.

શું હતી સમગ્ર ઘટના?

સમગ્ર ઘટના એવી હતી કે 18મી મેના રોજ દાહોદ જિલ્લાના પંકજભાઈ તેમની ગાડીમાં સંબંધી વિદ્યાર્થીઓને લઈને ચિલોડા ખાતે એડમિશન લેવા માટે લઈ જતા હતા. તે દરમિયાન ઓઢવ વિસ્તારમાં ચેકિંગ પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ તેમને ચેકિંગના બહાને રોક્યા હતાં. પોલીસે પંકજભાઈ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા. કાગળો તેમજ અન્ય દસ્તાવેજો બતાવવા છતાંય પોલીસે દંડ પેટે 10 હજારની માંગ કરી હતી તે ઉપરાંત ગાડીમાં સવાર લોકો પાસેથી પણ બળજબરી પૂર્વક 6 હજાર રૂપિયા પણ કઢાવ્યા હતા. સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી પાસે પહોંચતા તથ્ય તપાસી ઓઢવ પોલીસ મથકના વિજયસિંહ, દીપકસિંહ તેમજ હોમગાર્ડ મેહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટના બાદ પોલીસે પોતાની છાપ સુધારવા માટે સમગ્ર કાગળ ચકાસ્યા બાદ હેરાનગતિ પામેલા લોકો પ્રત્યે માનવીય અભિગમ દર્શાવ્યો હતો અને સંબંધિત પોલીસ સામે પગલા લેવાની કામગીરી કરી હતી. સાથે જ ગાડીમાં જે વિદ્યાર્થીઓ હતા તેઓ પલીસ પ્રત્યે નકારાત્મક છબી લઈને ન જાય તે માટે દરેક બાળકને પુષ્પગુચ્છ આપીને પોલીસ અધિકારીઓ સાથે ભોજન પણ કરાવ્યું હતું. તેમજ દરેક બાળકને સન્માનિત પણ કર્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પોલીસ જવાનો આરોપીઓ વિરૂદ્ધ કડક છાપ ધરાવે છે તેટલી જ નિર્દોષ લોકો માટે કોમળ હ્દય ધરાવે છે. તે છબી આ ઉદાહરણ દ્વારા જોવા મળી હતી. આમતો અત્યારના સમયમાં પોલીસ કોઈને કોઈ રીતે બદનામ થયેલી જોવા મળતી હોય છે. પોલીસની આવી નકારાત્મક છબીને સુધારવા આજે પણ ઉચ્ચ અધિકારીઓ અને અનેક કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે તો પણ જાણે કે સારા કામમાં બાધા નાખવા અમુક કર્મચારીઓ પ્રયત્નશીલ હોય છે એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે.

તાજેતરમાં જ અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ખોટી રીતે દારૂના કેસમાં હેરાન કરવા અને પૈસાની પડવ્યાની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને મળી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરીથી આવી જ એક ઘટના ઓઢવ પોલીસ મથકમાં બની હતી. જેનો પોલીસ દ્વાસા સુખદ ઉકેલ લાવીને ઉમદા ઉદાહણ  રજૂ કરવામાં આવ્યું હતું.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">