Ahmedabad: ધોળકામાં 1000 વીઘા ખેતર સાથે ખેડૂતોના સપના પણ પાણીમાં ડૂબ્યા, ડાંગરના પાકને ભારે નુકસાન

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકામાં ભારે વરસાદ (Rain) બાદ 1000 વિઘા ખેતર પાણીમાં ગરકાવ થઇ ગયા. ખેડૂતોનો સમગ્ર પાક પાણીમાં ડૂબી ગયો. જેના પગલે તાતનું ભાવિ પાણીમાં ખાક થઇ ગયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

Ahmedabad: ધોળકામાં 1000 વીઘા ખેતર સાથે ખેડૂતોના સપના પણ પાણીમાં ડૂબ્યા, ડાંગરના પાકને ભારે નુકસાન
ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:32 AM

અમદાવાદમાં (Ahmedabad) થોડા દિવસ પહેલા વરસેલા વરસાદે (Rain) તારાજી સર્જી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો (Farmers) પર આકાશી આફત આવી પડી છે. જે ખેડૂતોએ ડાંગરનો પાક કર્યો તે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો ખેતરો (Farm) જાણે તળાવ બની ગયા છે. ખેતરમાં ખેડૂતે પોતે જ પગ મુકવો મુશ્કેલ બની ગયો છે. ખેડૂતોનો આરોપ છેકે તંત્રના વાંકે ખેડૂતોની આવી હાલત છે. ત્યારે ખેડૂતોએ રોડ અને પ્રાંત અધિકારીઓ સામે આ માટે આક્ષેપ કર્યા છે.

ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભારે વરસાદ બાદ 1000 વિઘા ખેતર પાણીમાં ગરકાવ થઇ ગયા. ખેડૂતોનો સમગ્ર પાક પાણીમાં ડૂબી ગયો. જેના પગલે તાતનું ભાવિ પાણીમાં ખાક થઇ ગયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધોળકાના સાથળ અને સહીજ ગામમાં આ સ્થિતિ સામે આવી છે. અહીં આકાશી આફતનો એવો તો ફટકો ખેડૂતોને પડ્યો છે કે હજાર વિઘા ખેતરમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પાણીમાં ડૂબેલા ખેતર હવે તળાવ બની ગયા છે

તંત્રએ યોગ્ય રીતે કાંસની સફાઈ ન કર્યાનો આક્ષેપ

જે ખેતરમાં સપનાનું વાવેતર કરાયું એ સપના પર હવે પાણી ફરી વળ્યું છે. અહીં માત્ર પાક ડૂબ્યો નથી. અનેક ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે. ખેડૂતો માટે પોતાના જ ખેતરમાં પગ મુકી શકાય એવી સ્થિતિ રહી નથી. ત્યારે ખેડૂતોનો આરોપ છે કે, તંત્રએ કાંસની સફાઈ બરાબર ન કરતા આવી સ્થિતિ જોવા મળી છે. ખેડૂતોનું કહેવુ છે કે, ઘણા ખેડૂતો હવે ડાંગરનો પાક ઉગાડી શકે તેવી સ્થિતિમાં નથી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

સરકારી કર્મચારીઓની કામગીરી પર સવાલ

ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર રજૂઆત છતાં સરકારી કર્મચારીઓ દ્વારા કામગીરી કેમ ન કરાઈ. રોડ ખાતા સહિત પ્રાંત અધિકારીને રજૂઆત છતાં કામગીરી કેમ નથી થઈ અને હવે જે ખેડૂતોને નુકસાન થયું તેમને વળતર ક્યારે મળશે? હાલ તો સાથળ અને સહીજ ગામના ખેડૂતો વરસાદી પાણીના નિકાલની ચિંતા કરી રહ્યા છે. હાલ આ ખેતરમાં ચલવા જેવી પણ સ્થિતિ નથી. ત્યારે સરકાર પાસેથી ખેડૂતો મદદની આશા રાખી રહ્યા છે.

(વીથ ઇનપુટ-અરવિંદ ઠાકોર, ટીવીનાઈન, ધોળકા)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">