Ahmedabad: જુહાપુરામાં છેલ્લા ચાર દિવસથી વાનરોના આતંકથી પ્રજા પરેશાન, અત્યાર સુધીમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો

અમદાવાદમાં (Ahmedabad) જુહાપુરા વિસ્તારમાં લોકો વાનરોના (Monkey) આતંકથી ત્રસ્ત થઇ ગયા છે. જુહાપુરામાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે.

Ahmedabad: જુહાપુરામાં છેલ્લા ચાર દિવસથી વાનરોના આતંકથી પ્રજા પરેશાન, અત્યાર સુધીમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો
Monkey menace in Juhapura, 10 including kids injured in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 7:20 PM

મોટેભાગે માનવ વસ્તી હોય ત્યાં પશુ-પક્ષીઓનો વસવાટ પણ અચૂક હોય છે. જો કે ક્યારેક કેટલાક પશુઓ એટલી હદે વિફરતા હોય છે કે માનવીની ઊંઘ હરામ કરી દેતા હોય છે. આવું જ કઈક અમદાવાદના (Ahmedabad) જુહાપુરા (Juhapura) વિસ્તારમાં પણ બન્યુ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગત ચાર દિવસથી એક વાનરનો આતંક જોવા મળી રહ્યો છે. તેમજ ઘણા સમયથી વાનરનો ત્રાસ હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. એટલુ જ નહીં જુહાપુરામાં કેટલાક લોકો પર વાનરોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ પણ કેટલાક લોકોએ કરી છે.

અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં લોકો વાનરોના આતંકથી ત્રસ્ત થઇ ગયા છે. જુહાપુરામાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાનરે નાના બાળકો સહિત 10 લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે. એક વાનરે એક વ્યક્તિના હાથના ભાગે એવું તો બચકું ભર્યું કે તેને ગંભીર ઈજાઓ થઈ છે. તો નાના બાળકો પર વાનરે હુમલો કરતા બાળકો પણ ઘાયલ થયા છે. વાનરોના આતંકના કારણે હવે લોકોએ ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ છે. તો બાળકો અને વડીલોને તો ઘરની બહાર કામ વગર કાઢી જ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જુહાપુરામાં આ વાનરનો આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો એટલી હદે ભયભીત છે કે, બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. એટલે લોકો હાથમાં લાકડી લઇને બહાર નીકળતા હોય છે.

અમદાવાદમાં હાલમાં અસહ્ય ગરમી પડી રહી છે અને ઘરમાં ગરમીમાં સુઇ જવુ પણ લોકો માટે આકરુ છે. જો કે બીજી તરફ વાનરોનો એવો ત્રાસ છે કે જુહાપુરમાં રહેતા લોકો છત પર ઊંઘતા ડરી રહ્યા છે. તો ગમે ત્યારે વાનર હુમલો કરી દેશે તેની બીક બાળકોને રહે છે. ત્યારે તંત્રને જુહાપુરાના સ્થાનિકો દ્વારા વહેલા મદદની અપીલ કરાઈ છે. વાનરોના આતંકથી ત્રસ્ત સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે આ વાનરોને પકડવામાં આવે અને તેમને વાનરના ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">