અમદાવાદમાં ઓરીએ વધારી આરોગ્ય વિભાગની ચિંતા, અત્યાર સુધી ઓરીના 330 કેસ નોંધાયા

અમદાવાદના (Ahmedabad) કેટલાક વિસ્તારોમાં ઓરીનો (Measles) રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે.

અમદાવાદમાં ઓરીએ વધારી આરોગ્ય વિભાગની ચિંતા, અત્યાર સુધી ઓરીના 330 કેસ નોંધાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 6:08 PM

અમદાવાદમાં ઓરીનો રોગ વકરી રહ્યો છે, જે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 4 મહિનામાં ઓરીના કુલ 329 કેસ નોંધાયા છે. સામાન્ય સંજોગોમાં ઓરી ખૂબ જ ધીમી ગતીથી બાળકોમાં ફેલાય છે, પરંતુ છેલ્લા ચાર મહિનામાં જે ગતીથી બાળકો ઓરીની ઝપેટમાં આવી રહ્યા છે, તેણે બાળકોના માતા-પિતા અને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે આરોગ્ય વિભાગે ઓરીને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી વધારી દીધી છે. જે રીતે ઓરીના કેસ વધી રહ્યા છે તેને જોતા તબીબો જણાવી રહ્યા છે કે માતા-પિતાએ અન્ય અફવાઓમાં નહીં આવીને તુરંત જ બાળકોની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઓરીનો રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. છેલ્લા ચાર મહિનામાં ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા અને સરસપુર વિસ્તારમાં જોવા મળ્યા છે. ઓરીને ફેલાવતો અટકાવવા 15 દિવસ બાળકને આઈસોલેટ રાખવા જરૂરી છે, જેથી ઓરીના કેસ છે તેવા વિસ્તારોમાં લોકો બાળકોને રમવા મોકલવાનું ટાળી રહ્યાં છે. કોરોના વખતે ઓરીનું રસીકરણ બંધ રહેતાં પૂર્વના કેટલાક વિસ્તારોમાં ઓરીના કેસ જોવા મળી રહ્યા છે.

કયા મહિનામાં કેટલા કેસ નોંધાયા ?

ઓગસ્ટમાં 25 કેસ સપ્ટેમ્બરમાં 69 કેસ ઓક્ટોબરમાં 108 કેસ નવેમ્બરમાં 135 કેસ કુલ 330 કેસ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અમદાવાદ શહેરમાં ઓરીના કેસ વધતાં ગત શુક્રવારથી કેન્દ્રના આરોગ્ય વિભાગના 3 સભ્યની ટીમ અમદાવાદ આવી છે. આરોગ્યની ટીમે ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા સંકલિતનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમે ઓરીને કંટ્રોલ કરવા માટે શાળામાં પણ ઓરીનું રસીકરણ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવાનું સૂચન કર્યું હતુ.

શું છે ઓરીના લક્ષણો?

ઉધરસના ડ્રોપ્લેટથી ઓરી ઝડપથી ફેલાતો હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિમાં ઓરીના લક્ષણો શું છે તે જાણવું પણ જરૂરી છે. લક્ષણોની વાત કરીએ તો બાળકની ત્વચા પર લાલ ફોલ્લી થવા લાગે છે. જે ઓરીનું મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત બાળકને ભારે તાવ આવવો, વધુ પડતી ઉધરસ આવવી, આંખો લાલ થવી, ખૂબ થાકી જવું, વહેતું નાક, સૂકું ગળું, સ્નાયુઓમાં દુઃખાવો, મોઢામાં ચાંદા પડવા, આંખે ઝાંખું દેખાવું અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">