LOCAL BODY POLLS 2021: કોંગ્રેસ ઓફિસ બહાર પૂર્વ કાઉન્સીલર કમળા ચાવડાને ટિકિટ ના આપવા સ્થાનિકોની માંગ
અમદાવાદ શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે પૂર્વ કાઉન્સીલરોને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે પૂર્વ કાઉન્સીલરોને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારના સ્થાનિકોએ કોંગ્રેસ કાર્યાલય બહાર કોંગ્રેસના પૂર્વ કાઉન્સીલર કમળા ચાવડા (Kamla Chavda)ને ટિકિટ ના આપવા વિરોધ પ્રદર્શન કરીને માંગ કરી હતી. જેમાં સ્થાનિક લોકોએ બેનર સાથે કોંગ્રેસ ઓફિસ બહાર ‘કમળા ચાવડા હટાવો બહેરામપુરા બચાવો’ના સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તેમને કોર્પોરેશન ચૂંટણીમાં ટિકિટ ના આપવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Coronaના નવા 323 પોઝિટિવ કેસ, 2 દર્દીઓના મૃત્યુ
Latest Videos
Latest News