Gir માં સિંહની સુરક્ષાને લઇને રેલવે તંત્ર સતર્ક, ચાલુ વર્ષે 10થી વધુ સિંહોને બચાવાયા

ગીર પર્યટન  માટે પ્રખ્યાત સ્થળ છે. જ્યાં દરરોજ હજારો પર્યટક મુસાફરી કે છે  ગીરના સિંહને( Asiatic Lion) નિહાળે છે. જેના માટે લોકો રેલવેની પસંદગી કરે છે. જોકે કેટલીક વાર તે જ રેલવેના કારણે સિંહ ઘાયલ થવાની ઘટના સામે આવે છે.

Gir માં સિંહની સુરક્ષાને લઇને રેલવે તંત્ર સતર્ક, ચાલુ વર્ષે 10થી વધુ સિંહોને બચાવાયા
Asiatic Lion crossing a railway track in Gir (F
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 06, 2022 | 10:05 PM

ગીર અને ગીરના સિંહ(Asiatic lion)  ગુજરાતની(Gujarat)  શાન છે. ત્યારે ગીરમાંથી પસાર થતી ટ્રેન(Train)  અને ટ્રેક પર સિંહ કે પ્રાણીઓના અકસ્માત ન થાય તેના માટે રેલવે વિભાગે વિશેષ તકેદારી રાખી છે. ચાલુ વર્ષે કુલ 10થી વધુ સિંહને ઘાયલ થતાં બચાવી લેવાયા છે.  જંગલમાંથી રેલવેની મીટર ગેજ લાઈન નીકળે છે. જેના પર 4 ટ્રેન ચાલે છે. અકસ્માત ન સર્જાય માટે રાત્રે 8થી સવારે 6 સુધી ટ્રેન ન ચલાવવા નિર્ણય લેવાયો છે. તો જંગલમાં ટ્રેન માત્ર 30 કિલોમીટરની ઝડપે ચલાવવા પણ નિર્ધાર કરાયો છે.  1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 9 જેટલા બનાવ સામે આવ્યા છે. જેમાં ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માત થતાં બચાવી લેવામાં આવ્યા છે. તો 9 બનાવમાં કેટલાક બનાવમાં એક સાથે બે સિંહને બચાવ્યા છે.

ગીર પર્યટન  માટે પ્રખ્યાત સ્થળ છે. જ્યાં દરરોજ હજારો પર્યટક મુસાફરી કે છે  ગીરના સિંહને નિહાળે છે. જેના માટે લોકો રેલવેની પસંદગી કરે છે. જોકે કેટલીક વાર તે જ રેલવેના કારણે સિંહ ઘાયલ થવાની ઘટના સામે આવે છે. આવી ઘટનાં ન બને માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કેમ કે આવી જ બાબતનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેથી કોઈ ચૂક ન રહી જાય તેના પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.

અકસ્માત ન સર્જાય માટે રાતે 8 થી સવારે 6 સુધી ટ્રેન નહિ ચલાવવા નિર્ણય

રેલવેની જંગલ માંથી મીટર ગેજ લાઇન નીકળે છે. જેના પર 4 ટ્રેન ચાલે છે. જેના કારણે અકસ્માત ન સર્જાય માટે રાતે 8 થી સવારે 6 સુધી ટ્રેન નહિ ચલાવવા નિર્ણય કરાયો છે. તો ટ્રેન 30 કિલો મીટરની સ્પીડે ચલાવવા નીર્ધાર કરાયો છે. જેથી અકસ્માતની શકયતા ટાળી શકાય અને જો અકસ્માત થાય તો વધુ નુકશાન ન થાય.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ  ટ્રેક  ગીરમાંથી પસાર થાય છે

  • વિસાવદર થી અમરેલી 74.63 કિલોમીટરનો ટ્રેક ગીરમાંથી પસાર થાય છે
  • વિસાવદર થી તાલાલા 47 કિલોમીટર ટ્રેક છે
  • જૂનાગઢ વિસાવદર વચ્ચે 59.87 કિલોમીટરનો ટ્રેક નીકળ છે.
  • વિસાવદર થી તાલાલા વચ્ચે ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિકલાકની છે
  • જૂનાગઢ દેલવાડા ટ્રેનમાં રોજના 600 પેસેન્જર પ્રવાસ કરે છે.
  • મીટર ગેજ સેક્શન પર 4 ટ્રેન ચાલે છે

ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માતથી  બચાવી લેવામાં આવ્યા

આ સિવાય  આટલા પ્રયાસ છતાં 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં 9 જેટલા બનાવ સામે આવ્યા છે. જેમાં ટ્રેન રોકીને 9 સિંહને અકસ્માતથી  બચાવી લેવામાં આવ્યા છે. તો 9 બનાવમાં કેટલાક બનાવમાં એક સાથે બે સિંહને બચાવ્યા છે. જે રેલવે ની મોટી સફળતા ગણી શકાય. ઉલ્લેખનીય છે કે મીટર ગેજ પર માલવાહક ટ્રેન સિવાય  લોકો ગિરનો નજારો જોવા માટે ટ્રેનમાં યાત્રા કરે છે. પરંતુ ગીરના નજરા સાથે સિંહને બચાવવા પણ જરૂરી છે. જેના માટે લોકોએ હજુ વધુ જાગૃત બનાવની જરુર લાગી રહી છે. અને જો તેમ થશે તો હજુ પણ આ પ્રકારના બનાવો અટકાવી શકાશે. અને ગુજરાતના ગૌરવ સિંહનું રક્ષણ પણ કરી શકાશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">