જગન્નાથ મંદિરની જમીન વિધર્મીને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ, VHPના કાર્યકરને જાનથી મારી નાખવાની મળી ધમકી

ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે હું સરકાર પાસે માગણી કરું છું કે ચેરિટી કમિશનરના હુક્મને કાયમ રાખીને સુઓમોટોના આધાર પર કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી અમદાવાદની જગન્નાથ મંદિરની જમીન તેમ જ અન્ય મંદિરોની મિલકતોનો સર્વે કરે અને આવનારા દિવસોમાં સત્ય બહાર લાવે.

જગન્નાથ મંદિરની જમીન વિધર્મીને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ, VHPના કાર્યકરને જાનથી મારી નાખવાની મળી ધમકી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 22, 2022 | 3:07 PM

જગન્નાથ મંદિરની (Jagganath Temple) કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકીઓ મળી રહી  હોવાની માહિતી વીએચપીના  કાર્યકર્તા ધમેન્દ્ર  ભાવાણીએ જણાવી હતી. VHPના પૂર્ણકાલીન કાર્યકર્તા ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે ઉદયપુરના કનૈયાલાલની જેમ ગળું કાપી નાખવાની  તેમને ધમકીઓ મળી છે અને  મહત્વની વાત એ છે કે  તેમણે એક મહિના કરતાં વધારે સમયથી પોલીસ રક્ષણ માગ્યું હોવા છતાં ગુજરાત પોલીસે (Gujarat police) હજુ સુધી તેમને રક્ષણ પૂરું પાડ્યું નથી.  ધર્મેન્દ્ર ભાવાણીએ ગૃહ રાજ્યપ્રધાન, ડીજીપી, શહેર પોલીસ કમિશનર અને પાલડી પોલીસ સ્ટેશનમાં (Police station) 15 ઓગસ્ટના રોજ અરજી કરીને રક્ષણ માગ્યું હતું. જે વાતને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી તેમને રક્ષણ આપવામાં નથી આવ્યું.

ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે હું  સરકાર પાસે માગણી કરું છું કે ચેરિટી કમિશનરના હુક્મને કાયમ રાખીને સુઓમોટોના આધાર પર કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી અમદાવાદની જગન્નાથ મંદિરની જમીન તેમ જ અન્ય મંદિરોની મિલકતોનો સર્વે કરે અને આવનારા દિવસોમાં સત્ય બહાર લાવે. તેમણે કહ્યું કે- લેન્ડ જેહાદ એક પડકાર છે અને દેશભરમાં ચાલતું સુવ્યવસ્થિત ષડયંત્ર છે. આ વાત સપ્ટેમ્બર-2019માં મારા ધ્યાન પર આવી હતી. અમદાવાદના બાર સર્વે નંબરની જમીન છે, એમાંથી 10 સર્વે નંબરો બહેરામપુરા વિસ્તારના છે અને બે સર્વે નંબર દાણીલીમડા વિસ્તારના છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ બાર સર્વે નંબરની 2 લાખ 97 હજાર ચો.મીટર જમીન છે. આ જમીનો ગાયના ઘાસચારા માટે કોર્પોરેશન તથા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. જે જમીનોની આજે કેટલી કિંમત હશે એ બોલી પણ શકાય એમ નથી. એટલી મોંઘી જમીન મુસ્લિમ ખરીદદારોને આપી દેવાનું પાપ મંદિરના રક્ષણકર્તાઓએ જ કરીને ભક્ષણ કરવાનું કામ કર્યું છે. ગાય માતાના મોંમાંથી ઘાસ છીનવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે- તેઓ જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓને મળવા ગયા હતા. બહુ જ વિનંતી કરી હતી, પરંતુ મંદિરના વહીવટકર્તાઓ તૈયાર થયા નહોતા. આ લેન્ડ જેહાદ ષડયંત્ર છે. મંદિર આગામી દિવસોમાં પૂરી રીતે ખતમ થઈ જશે. આ લડાઈ મંદિર, હિન્દુ ધર્મ તેમ જ ગાય માતા અને મંદિરની જમીનને બચાવવા માટે અતિઆવશ્યક છે, પરંતુ તેઓ સમજ્યા નહોતા.

તો બીજીતરફ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ, ધર્મેન્દ્ર ઝાએ લગાવેલા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે જમીનને લઈ કોઈ ખોટું કામ કરવામાં નથી આવ્યું. સમગ્ર કેસ હાઈકોર્ટમાં ચાલે છે જે જગ્યા મુસ્લિમને આપવામાં આવી હતી તેની સામે બાજુની જગ્યા મુસ્લિમ પાસેથી ખરીદવામાં આવી હતી. ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને રહે છે આમાં કોઈ પ્રકારનો વિવાદ નથી તેમણે કહ્યું કે- હાઈકોર્ટ જે નિર્ણય આપશે તે માન્ય રહેશે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">