Jagannath Rath Yatra LIVE: કોરોના સામે જાગૃતિ લાવવા ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું
ભગવાન જગન્નાથના રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને મોકુફ રાખવામાં આવી હતી. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે. ત્યારે રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું જે લોકોના આકર્ષણનું કેનદ્ર બન્યું હતું.
હાલ, મામાનાં ઘરે સરસપુર પહોચ્યા ભગવાન જગન્નાથ સહિતનાં રથ. જ્યાં યજમાન દ્વારા મામેરા માટે પહેલેથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી અને ત્યાંથી રથ પરત થયા હતા. યાત્રા પહેલા ઘોડેસવાર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Rath Yatra LIVE : રથ ખેંચનારા ખલાસીઓ પણ રથયાત્રાને લઈને ઉત્સાહિત