Gujarat: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે
Gujarat: કેન્દ્રીય પ્રધાન અમિત શાહ (Amit Shah)ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. 19મી જૂનથી 21 જૂન વચ્ચે અમિત શાહ ગુજરાતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો(Development Work)નું લોકાર્પણ કરશે
Gujarat: કેન્દ્રીય પ્રધાન અમિત શાહ (Amit Shah)ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. 19મી જૂનથી 21 જૂન વચ્ચે અમિત શાહ ગુજરાતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો(Development Work)નું લોકાર્પણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં બનેલા અલગ અલગ ત્રણ ઓવર બ્રિજનું ઉદ્ધાટન કરશે. સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના આગ્રહને માન આપીને અમિત શાહ કલોલ APMCનું લોકાર્પણ કરશે.
મહત્વપૂર્ણ છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમિત શાહને કાલોલ APMCનું લોકાર્પણ કરવા આગ્રહ કર્યો હતો અને અમિત શાહે પણ તેઓના આગ્રહને માન આપ્યું છે. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિકાસના કાર્યોની સમીક્ષા કરશે ત્યારબાદ 22 તારીખે ચાર વિધાનસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.