ગુજરાતની કંપનીએ 13 જેટલાં શહીદોના પરિવારજનોના હસ્તે શૉ-રુમનું ઉદ્ઘાટન કરાવ્યું, કહ્યું ‘શહીદોના પરીવારજનોને નોકરીમાં પણ પ્રાથમિકતા આપીશું’
વોટર પંપ અને પાઈપ બનાવતી ગુજરાતની એક કંપની (ફાલ્કન પંપ)એ આજે એક અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. મોટા ભાગના લોકો જ્યારે કોઈપણ ઉદ્ઘાટન માટે નેતાઓને કે સેલિબ્રિટીને બોલાવતા હોય ત્યારે આ કંપનીએ અમદાવાદમાં સરખેજ પાસે તેના નવા શૉ-રૂમનું ઉદ્ઘાટન શહિદ જવાનોના પરિવારજનોના હાથે કરાવ્યું છે. ફાલ્કન કંપની વોટર પંપ અને પાઈપ બનાવે છે. આ કંપનીના […]
વોટર પંપ અને પાઈપ બનાવતી ગુજરાતની એક કંપની (ફાલ્કન પંપ)એ આજે એક અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. મોટા ભાગના લોકો જ્યારે કોઈપણ ઉદ્ઘાટન માટે નેતાઓને કે સેલિબ્રિટીને બોલાવતા હોય ત્યારે આ કંપનીએ અમદાવાદમાં સરખેજ પાસે તેના નવા શૉ-રૂમનું ઉદ્ઘાટન શહિદ જવાનોના પરિવારજનોના હાથે કરાવ્યું છે.
ફાલ્કન કંપની વોટર પંપ અને પાઈપ બનાવે છે. આ કંપનીના એક શૉ-રુમના ઉદ્ધાટન પ્રસંગ્રમાં શહીદોના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 13 શહિદોના પરિવારોને 25 હજાર રૂપિયાની સહાય તેમજ શાલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં શો રૂમની બહાર ગુજરાતના વીરગતી પામેલા 13 શહિદ જવાનોના ફોટોના બેનર્સ પણ મુકવામાં આવ્યા હતા અને પરિવારજનોની હાજરીમાં તેમના વરદ હસ્તે સન્માનીત કરીને શો રૂમના શ્રીગણેશ કરાવ્યા હતા.
સાથે જ કંપનીના MD જગદીશ કોટડીયાએ એવી પણ જાહેરાત કરી હતી કે જ્યારે કોઈપણ વીર શહિદના પરિજનોને નોકરીની જરૂર હશે તેમને ગમે ત્યારે તેમની કંપનીમાં પ્યુનથી લઈને એન્જીનીયર સુધીની કોઈપણ પોસ્ટમાં લાયકાત મુજબ પુરા સન્માન સાથે નોકરી આપવામાં આવશે. કંપનીના આ પગલાને શહિદોના પરિજનો અને અન્ય લોકોએ બિરદાવ્યુ હતું. જગદીશ કોટડીયાએ કહ્યું હતુ કે અમારે બધા કરતા અલગ અને દેશ માટે કંઇક કરવું હતું તેથી અમે આ નિર્ણય લીધો. નોકરીઓ પણ શહિદોના પરિજનોમાંથી કોઈ આવે તો તેમને આપીશું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]