ગુજરાત હાઇકોર્ટે બેજવાબદાર અધિકારીઓ સામે વ્યક્ત કરી નારાજગી, રાજ્ય સરકારને કરી આ તાકીદ

ગુજરાત રાજ્યની વડી અદાલતના(Gujarat Highcourt) મુખ્ય ન્યાયાધીશ ની ખંડપીઠ સમક્ષ જુદા જુદા કિસ્સા વચ્ચે જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાને કારણે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર એ રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે અધિકારીઓ મામલે હવે રાજ્ય સરકારે જાગી જવાની જરૂર છે

ગુજરાત હાઇકોર્ટે  બેજવાબદાર અધિકારીઓ સામે વ્યક્ત કરી નારાજગી, રાજ્ય સરકારને કરી આ તાકીદ
Gujarat Highcourt (File Image)Image Credit source: File Image
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jun 07, 2022 | 10:28 PM

ગુજરાત (Gujarat) હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારના અધિકારીઓના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટના( Highcourt) હુકમનું પાલન ન કરનાર અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની તૈયારી પણ ખંડપીઠે દર્શાવી છે. મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ કોર્ટના હુકમ તિરસ્કારની અરજી એટલે કે કન્ટેમ્પટ ઓફ કોર્ટની(Contempt Of Court)  સુનાવણી દરમિયાન કેટલાક કિસ્સાઓમાં વિભાગની બેદરકારી સામે આવતી હોય છે. જેને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટ હુકમનો તિરસ્કાર થવા મામલે વિવિધ વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ટકોર કરી કે,  હવે કન્ટેમ્પટની અરજીમાં રાજ્ય સરકારને નોટિસની સાથે સંબંધિત અધિકારીને પણ હાજર રાખવા માટે હુકમ કરશે અને બિન જામીન પાત્ર વોરંટ પણ ઈશ્યુ કરશે.

એડવોકેટ જનરલ ઓફિસને પણ જાણ કરવામાં આવી

ભૂતકાળમાં આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જ્યાં સંબંધિત વિભાગને કોર્ટનો ઓર્ડર ન મળવાનું કારણ હાથ ધરીને હુકમનું પાલન ન થતું હોવાની દલીલો કરવામાં આવી હતી. જોકે હવે કોર્ટના ઓર્ડર સંબંધિત વિભાગ સુધી સરળતાથી પહોંચી શકે છે, તેવી વ્યવસ્થા થઈ છે, જે અંગે એડવોકેટ જનરલ ઓફિસને પણ જાણ કરવામાં આવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

અધિકારીઓ મામલે હવે રાજ્ય સરકારે જાગી જવાની જરૂર

મહત્વનું છે કે આજે ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની ખંડપીઠ સમક્ષ જુદા જુદા કિસ્સા વચ્ચે જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાને કારણે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર એ રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે અધિકારીઓ મામલે હવે રાજ્ય સરકારે જાગી જવાની જરૂર છે અને કડક પગલાં ભરવાની આવશ્યકતા હોય તો તે પણ કરવાની જરૂર છે ત્યારે તેની સામે રાજ્ય સરકાર દ્વારા પણ હકારાત્મક અભિગમ રાખીને આગામી દિવસોમાં યોગ્ય સુધારા કરવા માટે જણાવવામાં આવ્યું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">