ચેતી જજો ! ગુજરાતમાં ફરી કોરોનાનો પગપેસારો, અમદાવાદ કોર્પોરેશને લાગુ કર્યા આ નિયમો

અમદાવાદના(Ahmedabad) ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર મોટાપાયે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે.

ચેતી જજો !  ગુજરાતમાં ફરી કોરોનાનો પગપેસારો, અમદાવાદ કોર્પોરેશને લાગુ કર્યા આ નિયમો
Increase Corona cases in ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 9:17 AM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં સતત કોરોના સંક્રમણ (Corona Case) ફરી ચિંતાજનક હદે વધી રહ્યું છે.અમદાવાદમાં કોરોનાના મંગળવારે સૌથી વધુ 44 દર્દી સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની (Corona Active case) સંખ્યા પણ વધીને 207 થઈ ગઈ છે.જે પૈકી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં પાછલા બે દિવસથી કોરોના કેસ 40ને પાર પહોંચતા મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)  અને આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર મોટાપાયે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે.આ ઉપરાંત અગાઉની લહેરોની જેમ ભીડભાડવાળા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ (Corona test) માટેના ડોમ ઉભા કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ (vaccination) વધારવા તંત્ર સક્રિય બન્યું છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળુ વેકેશન દરમિયાન સંખ્યાબંધ લોકો એકઠા થતા જોવા મળે છે તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં રહેતા ભારતીયો રજાઓમાં વતન આવ્યા. જેના કારણે સંક્રમણમાં ફરી ઉછાળો આવતા જ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ ઘરની બહાર જતા-આવતા લોકોને માસ્ક પહેરવા (Mask) અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.. આ ઉપરાંત જે લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ મળવપાત્ર છે. તેમને વહેલી તકે રસીનો ડોઝ લેવા પણ અપીલ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">