જેલમાં જવાથી આંદોલન તૂટવાના બદલે મજબૂત બન્યું : યુવરાજસિંહ

યુવરાજસિંહ (Yuvraj Singh) જણાવ્યું કે યુવા નવનિર્માણ સેના કામ કરશે. આવનારી મોટી પરીક્ષા બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિ પર નજર રાખીશું. સ્લીપરસેલ બધી રીતે માહિતી આપતા રહે છે. સેનાના માધ્યમથી તમામ પ્રશ્ને કામ કરીશુ.

જેલમાં જવાથી આંદોલન તૂટવાના બદલે મજબૂત બન્યું : યુવરાજસિંહ
Going to jail strengthened the movement instead of breaking it: Yuvraj Singh (ફાઇલ)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 17, 2022 | 5:32 PM

યુવાનોના હક માટે લડત લડતા યુવરાજસિંહ (Yuvraj Singh)10 દિવસ જેલમાં બંધ રહ્યા બાદ તેમનો શરતી જામીન પર છુટકારો થયો છે. જેઓ જેલ બહાર આવતા જ મીડિયાથી ભાગી ગયા હતા. પણ બીજા દિવસે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ (Press conference)બોલાવી તેનો ખુલાસો કર્યો, તેમજ હવે આંદોલન (Movement)એક નવા સ્વરૂપે આગળ વધશે તેવો પણ ખુલાસો કર્યો.

જેલમાંથી બહાર આવેલા યુવરાજસિંહ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ નાના સંગઠન સાથે રહી લડતા હતા. પણ હવે તેઓએ નવા અને મોટા સંગઠન સાથે રહી લડત આપવા નિર્ધાર કર્યો છે. જેના માટે યુવરાજસિંહ યુવા નવ નિર્માણ સેનાનો રચના કરી છે. આ સેના હેઠળ ગામ, જિલ્લા, તાલુકા લેવલે કન્વીનરો ઉભા કરી આંદોલનને આગળ વધારવામાં આવશે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે યુવાનોના હિત અને રાષ્ટ્રહિત માટે અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવીશ. તેમજ નવા અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે. જેના માટે યુવા નવનિર્માણ સેનાની શરૂઆત કરી. જેમાં બિન રાજકીય રીતે આ પ્લેટફોર્મ મારફતે અવાજ ઉઠાવીશું અને સરકાર સમક્ષ પ્રશ્ન રાખીશું તેવું જણાવ્યું. સાથે જ એ પણ જણાવ્યું કે સેના બિનરાજકીય રહેશે અને યુવાનોના પ્રશ્ન પર કામ કરશે. શિક્ષણ, બેરોજગાર જેવા મુદ્દાઓ રહેશે. અને યુવાનોના ભાવિ સાથે થતા ચેડા અટકાવવાનો પ્રયાસ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એટલું જ નહીં પણ જેલમાં બંધ થવાના કારણ અંગે પણ યુવરાજસિંહ ખુલાસો કર્યો કે તે ઘટનામાં કોઈને પણ મારવાનો ઈરાદો ન હતો પણ બચાવાનો હતો. અને ન્યાયિક પ્રક્રિયાથી જવાબ આપીશું. તેમજ જેલમાં બંધ સમય દરમીયાન નાની મોટી ચોરીના મામલા મળ્યા છે. તપાસ કરી તથ્ય મળ્યું છે. મોટી ચોરી હાલ થઈ નથી. ઇનપૂટ મળી રહ્યા છે તે પ્રમાણે તપાસ કરીશું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે અત્યારે પ્રશ્ન છે કે સવાલ કોની સામે હોય સતાપક્ષ સામે તો અમે પ્રશ્ન ઉજાગર કરતા રહીશું. અમારા કન્વીનર હશે તે બિન રાજકીય હશે. જોકે સેનામાં કામ માટે રાજકીય પક્ષની મદદ લેવી પડશે ત્યાં પક્ષોની મદદ લઈશું તેવુ પણ જણાવ્યું, જેનાથી રાજકિયપક્ષ વગરની સેના અને કામને લઈને સ્પષ્ટીકરણ અસ્પષ્ટ જોવા મળ્યું હતું.

યુવરાજસિંહ જણાવ્યું કે યુવા નવનિર્માણ સેના કામ કરશે. આવનારી મોટી પરીક્ષા બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિ પર નજર રાખીશું. સ્લીપરસેલ બધી રીતે માહિતી આપતા રહે છે. સેનાના માધ્યમથી તમામ પ્રશ્ને કામ કરીશુ. પેપર શરૂ થયાથી તમામ પ્રશ્ન સરકાર સામે રાખીશું. પહેલા નિવેદન આવ્યા કે મોડા આવ્યા કે અન્ય તો અગાઉથી અમે જાણ કરીશું.

વધુમાં જણાવ્યું કે પોલીસ પર ભરોસો છે પણ ચિત્ર ખોટું રજૂ કરાયું છે. મોટો ખુલાસો કરવા જતાં પહેલાં અરેસ્ટ કર્યા. ભૂતકાળની પ્રક્રિયા હતી તે પુરાવા સાથે સામે લાવવાનો હતો તે ન કરી શક્યો પણ આધાર પુરાવા સાથે તે મુદ્દો રજૂ કરીશ. રાજકીય કે બિનરાજકીય હોય ખુલાસો કરીશ. સિંહ ગર્જના સાથે વાત રજૂ કરીશ. ગાંધીનગરમાં જવા પર પ્રતિબંધ પણ આંદોલન ચાલુ હતું અને ચાલુ રહેશે તેમ જણાવ્યું. સાથે જ આવનાર દિવસમાં ગાંધીનગર જવાના પ્રતિબંધ હટાવવા પ્રક્રિયા કરવા પણ જણાવ્યું, જેથી આંદોલન આગળ વધારી શકાય.

આ પણ વાંચો :તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં સુરતમાં તસ્કરોએ કેવી રીતે તેલના ડબ્બાઓની કરી ચોરી

આ પણ વાંચો :ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 31 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">