ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 3 કરોડને પાર, આ જિલ્લામાં થયા સૌથી વધારે ટેસ્ટ
ગુજરાતમાં જિલ્લાના આધારે જોવામાં આવે તો સૌથી વધુ 64.85 લાખ ટેસ્ટ સુરત જિલ્લામાં થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 53.32 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં(Gujarat)કોરોનાની(Corona)સ્થિતિમાં સુધારાને કારણે હવે કોરોના ટેસ્ટની(Corona Test)સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થયો છે. જેમાં રવિવારે રાજ્યભરમાં માત્ર 15959 ટેસ્ટ જ કરવામાં આવ્યા છે. જે છેલ્લા દિવસો કરતા ઘણો ઓછા છે. જો કે ગુજ્રરાતમાં અત્યાર સુધીમાં 3.11 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જેમાં જિલ્લાના આધારે જોવામાં આવે તો સૌથી વધુ 64.85 લાખ ટેસ્ટ સુરત જિલ્લામાં થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 53.32 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ગત મે-એપ્રિલમાં રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ દરમિયાન એક દિવસમાં લગભગ દોઢ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ગુજરાતમાં કોરોના સમયગાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 31145281 પરીક્ષણો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 29 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 41 લોકો સાજા થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8.16,457 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.
ગુજરાતમાં હાલ 217 એક્ટીવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 211 સ્ટેબલ છે. 8,16,457 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10090 નાગરિકોનાં મોત નિપજ્યાં છે. જો કે આજના દિવસમા એક પણ નાગરિકનું મોત નિપજ્યું નથી.
આજના દિવસમાં રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 4-4 કેસ સામે આવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 કેસ સામે આવ્યા હતા. ભાવનગર કોર્પોરેશન, જુનાગઢ અને સાબરકાંઠામાં 2-2 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આણંદ અને સુરતમાં 1-1 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો : જીટીયુ એ મહિલાઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી, સ્તન કેન્સરનું નિદાન કરતું પોર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું
આ પણ વાંચો : સુરત કોર્પોરેશને ફરી કોરોના ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ ટેસ્ટિંગ શરૂ કરાયું