Corona: અમદાવાદ સિવિલમાં દાખલ પૂર્વ પોલીસ જવાને કહ્યું ‘હું મારા પ્રોસ્થેટિક પગ પર ચાલીને ઘરે પાછો જઈશ’   

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil)ની કોરોનાની 1,200 બેડની હોસ્પિટલના ICU વોર્ડમાં પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદુર થાપા (Chandra Bahadur Thapa)ની સારવાર ચાલી રહી છે. 3 એપ્રિલે ચંદ્રબહાદુર કોરોનાથી સંક્રમિત થયા હતા. તે પછી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.   અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચંદ્રબહાદુર કોરોનાગ્રસ્ત થતા તેમનું ઓક્સિજનનું સ્તર સતત ઘટવા […]

Corona: અમદાવાદ સિવિલમાં દાખલ પૂર્વ પોલીસ જવાને કહ્યું 'હું મારા પ્રોસ્થેટિક પગ પર ચાલીને ઘરે પાછો જઈશ'   
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 12, 2021 | 8:21 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil)ની કોરોનાની 1,200 બેડની હોસ્પિટલના ICU વોર્ડમાં પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદુર થાપા (Chandra Bahadur Thapa)ની સારવાર ચાલી રહી છે. 3 એપ્રિલે ચંદ્રબહાદુર કોરોનાથી સંક્રમિત થયા હતા. તે પછી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચંદ્રબહાદુર કોરોનાગ્રસ્ત થતા તેમનું ઓક્સિજનનું સ્તર સતત ઘટવા લાગ્યું હતું. વાઈરસ ફેફસા સુધી પહોંચી ચૂક્યો હતો. એટલે તાત્કાલિક ધોરણે તેમને 1,200 બેડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યાં તેમને આઈ.સી.યુમાં NRBM ઓક્સિજન માસ્ક પર રાખવાની ફરજ પડી. સ્થિતિ ગંભીર થતા તેમને બાયપેપ વેન્ટીલેટર પર રાખી સઘન સારવાર કરવામાં આવતા તેમની સ્થિતિમાં મહદઅંશે સુધારો થયો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ચંદ્રબહાદુર થાપાના કિસ્સામાં મુશ્કેલી એ પણ હતી કે તેમનો 2006માં અકસ્માત થતાં તેમને બંને પગ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે પ્રોસ્થેટિક પગ( કૃત્રિમ પગ)ને સહારે જીવન વ્યતિત કરે છે. એટલે તેમને ભોજન, પાણી, કપડા બદલવા અને શૌચ ક્રિયાઓમાં પેશન્ટ એટેન્ડન્ટ(દર્દી સહાયક) મદદ કરી રહ્યા છે. હાલ આ દર્દી સહાયક ભારે વાત્સલ્યભાવથી પૂર્વ પોલીસ જવાનની સેવા કરી રહ્યા છે.  ચંદ્રબહાદુર થાપાએ પણ સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ અને પેશન્ટ એટેન્ડનો હ્રદયપૂર્વક આભાર માને છે. તેઓ કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં મારી શ્રેષ્ઠ સારવાર થઈ રહી છે.

મેં વિચાર્યુ પણ ન હતુ કે કોરોનાગ્રસ્ત થયા બાદ મને સરકારી હોસ્પિટલમાં આટલી શ્રેષ્ઠ સારવાર મળશે. અહીંના તબીબો દ્વારા કરવામાં આવી રહેલી સારવારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને મને ખાતરી છે કે હું મારા પ્રોસ્થેટિક લેગ પર ચાલીને ઘરે પરત ફરીશ. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની કાળજી લઈ રહ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદી જ્યારે વોર્ડની મુલાકાત લીધી, ત્યારે આ પૂર્વ પોલીસ જવાનને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.

આ પણ વાંચો: vadodara : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણનો મહાવિસ્ફોટ, તમામ હોસ્પિટલ્સ હાઉસફુલ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">