કોરોના વિસ્ફોટ: અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીને દાખલ કરવામાં આવતા નથી!

અમદાવાદ: જીગ્નેશ પટેલ સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક 2,200થી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં જાણે કે કોરોના વાઈરસનો મહાવિસ્ફોટ થયો છે. જો અમદાવાદ સિવિલ (Ahmedabad Civil Hospital)ની વાત કરવામાં આવે તો દિવસેને દિવસે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં […]

| Updated on: Mar 31, 2021 | 8:11 PM

અમદાવાદ: જીગ્નેશ પટેલ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક 2,200થી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં જાણે કે કોરોના વાઈરસનો મહાવિસ્ફોટ થયો છે. જો અમદાવાદ સિવિલ (Ahmedabad Civil Hospital)ની વાત કરવામાં આવે તો દિવસેને દિવસે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં એ તબક્કો આવી ગયો છે કે જેમાં એક જ દિવસમાં 100 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે. જો ધૂળેટીની વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે 129 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

હાલમાં રોજ 125 દર્દી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 493 દર્દી સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલમાં 60 ટકા જેટલા બેડ ભરાયા છે. ત્યારે 5 દિવસમાં જ 1,200 બેડ ફૂલ થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરની SVP હોસ્પિટલ (SVP Hospital)માં કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવતા નથી અને તેથી સિવિલ હોસ્પિટલમાં લોડ વધી રહ્યો છે. ત્યારે આવી સ્થિતીમાં પણ SVP હોસ્પિટલના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. હોસ્પિટલમાં બેડ વધારવાની પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. ત્યારે અમદાવાદ સિવિલમાં માર્ચ 2020 જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

ત્યારે બીજી તરફ જોઈએ તો કોર્પોરેશનની SVP હોસ્પિટલના અધિકારીઓ જાણે કે સરકારને પણ ગાંઠતા ના હોય અને બેડ વધારવા માટે તેઓ તૈયાર ના થતાં હોય તેવા પ્રકારનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે કોરોનાના કેસોમાં સતત વધારો થયો હોવા છતાં SVP હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં ના આવતા હોય તે ખુબ જ શરમજનક બાબત ગણી શકાય.

 

આ પણ વાંચો: GANDHINAGAR : આવતીકાલથી મહારસીકરણ અભિયાન, 45 વર્ષથી વધુ વયના તમામને રસી મળશે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">