AHMEDABAD: એરપોર્ટ પર દાણચોરીમાં 2 કસ્ટમ ઓફિસર સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ

અમદાવાદમાંથી દાણચોરીના સમાચાર આવ્યા છે. આ ઘટનામાં CBI એ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી.

AHMEDABAD: એરપોર્ટ પર દાણચોરીમાં 2 કસ્ટમ ઓફિસર સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ
અમદાવાદ એરપોર્ટ - ફાઈલ ફોટો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 29, 2021 | 4:46 PM

અમદાવાદમાંથી દાણચોરીના સમાચાર આવ્યા છે. આ ઘટનામાં CBI એ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. મળેલી જાણકારી અનુસાર તેઓ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. આ કિસ્સામાં બન્ને કસ્ટમ ઓફિસર સામે પ્રિન્સિપાલ કમિશનરે ફરિયાદ નોંધાવી હતી. અને CBI દ્વારા 7 આરોપીઓના ઘર તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કે આ 7 આરોપીઓ કરોડો રૂપિયાની દાણચોરીમાં સંડોવાયેલા છે. આ ઘટનામાં કસ્ટમ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારી સામે CBIમાં નોંધાવવામાં આવી હતી. જાણકારી અનુસાર આ ફરિયાદ આધારે તપાસ કર્યા બાદ CBI એ વધુ 5 ખાનગી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપી સોમનાથ ચૌધરી તેમજ સુજીત કુમાર અમદાવાદ એરપોર્ટના ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">