Ahmedabad: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણને પગલે વેપારીઓનો વિરોધ
જંતુનાશક દવા (pesticides), ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ ખાતે 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં (Ahmedabad) જંતુનાશક દવા, ખાતર, બિયારણનું ઓલ ઓવર ઈન્ડિયામાં 40 હજાર કરોડનો બિઝનેસ (Business) છે. ત્યારે આ બિઝનેસ પર હવે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓએ તરાપ મારી છે. આથી 600 જેટલા વેપારીએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. જંતુનાશક દવા (pesticides), ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ ખાતે 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. જંતુનાશક દવાનું ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.
ઓનલાઈન વેચાણથી ખેડૂતોને નથી મળતું માર્ગદર્શન
જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ સામે વેપારીઓ હવે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. એગ્રો ઈનપુટ વેલ્ફેર એસોસિએશન સાથે સંકળાયેલ વેપારીઓએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. જે માટે 600થી વધુ વેપારીઓએ બેઠક કરી વિરોધની રણનીતિ ઘડી કાઢી છે. ગુજરાત એગ્રો એસોસિએશન પ્રમુખ પ્રવિણ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે ગુજરાતમાં દવા, ખાતર અને બિયારણનો સૌથી મોટો બિઝનેસ છે. પરંતુ ઓનલાઈન વેચાણની પ્રક્રિયા શરૂ કરી તે ટેક્નિકલ રીતે પણ ખોટી છે. ઓનલાઈન વેચાણથી ખેડૂતોને મળતું માર્ગદર્શન મળતું નથી. માર્ગદર્શનના અભાવે પાકને અસર થાય છે. ઓનલાઈન વેચાણ કરવા વાળા કોઈ જવાબદારી લેતા નથી. ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક દવાનું વેચાણ કરી રહ્યા છે.
જંતુનાશક દવાઓના ઓનલાઈન વેચાણને પગલે 600 વેપારીઓનો એક મંચ પર વિરોધ
વેપારીઓની માંગ છે કે જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે. આખા દેશમાં ઓલ ઈન્ડિયા ઈનપુટ વેલફેરના 7 લાખ મેમ્બર છે. જો 7 લાખ મેમ્બરને ત્યાં 10 જણા પણ નોકરી કરતા હોય તો ઑનલાઈન બિઝનેસથી 70 લોકોની રોજગારી પર અસર થાય તેમ છે. એસોસિએશનના સેક્રેટરી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે જંતુ નાશક દવાનું ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.