Ahmedabad : ટુરિઝમ કંપની દ્વારા સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત, વિવિધ ધાર્મિક વિધીઓનો ટુરમાં સમાવેશ

શહેરની પ્રખ્યાત ટુરિઝમ કંપની અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સ્પિરિચ્યુલ ટુરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિવિધ ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Ahmedabad : ટુરિઝમ કંપની દ્વારા સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત, વિવિધ ધાર્મિક વિધીઓનો ટુરમાં સમાવેશ
Tourism Company Announces Spiritual Tour
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:48 PM

Ahmedabad : અત્યાર સુધી ફેમિલી ટુર, હનીમૂન ટુર, ગ્રૂપ ટુર તેમજ ઇન્ડસ્ટ્રીયલ ટુર વિશે તો તમે સાંભળ્યું જ હશે પણ પહેલીવાર ગુજરાતમાં સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી ધાર્મિક માન્યતામાં માનનારા શહેરીજનોને આ સ્પિરિચ્યુલ ટુરથી વિવિધ ધાર્મિક વિધિ કરવામાં સરળતા રહેશે.આ સ્પિરિચ્યુલ ટુરમાં વિવિધ વિધિઓ ધાર્મિક સ્થળે કરી શકાય તેવી સુવિધાઓ શહેરીજનોને પુરી પાડવામાં આવશે.

શહેરની પ્રખ્યાત ટુરિઝમ કંપની અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સ્પિરિચ્યુલ ટુરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિવિધ ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સિદ્ધપુર, ચાંદોદ, હરિદ્વાર ,ચારધામ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ખૂબ ઓછા એવા ધાર્મિક સ્થળ છે જ્યાં માતૃતર્પણ અને પિતૃતર્પણની વિધિ થાય છે.

જેમાં પ્રભાસપાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ, સિદ્ધપુર માતૃતર્પણ અને સૌરાષ્ટ્રમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવના મંદિર પાસે પિતૃતર્પણ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિમાં પવિત્ર ભૂમિ ઉપર ધાર્મિક વિધિ કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પિપળાને એક લોટો જળ ચઢાવીને પિતૃઓના મૌક્ષની સાથે ધન્યતાનો અનુભવ કરે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આવા સ્થળોના પ્રખ્યાત બ્રાહ્મણો સાથે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ટાઈઅપ કરવામાં આવ્યું છે. જેથી પિતૃતર્પણ તેમજ માતૃતર્પણ જેવી ધાર્મિક વિધિ કરવા ઇચ્છતા શહેરીજનો આ પેકેજ ના માધ્યમથી સરળતાથી વિધિ પૂર્ણ કરી શકે છે.

સ્પિરિચ્યુલ ટુર ની વાત કરીએ તો સ્પેશિયલ દર્શન પૂજા, શક્તિપીઠ યાત્રા , જ્યોર્તિલિંગ યાત્રા, વૈષ્ણોદેવી યાત્રા, અમરનાથ યાત્રા, તિરુપતિ થી સોમનાથ યાત્રા , હરિદ્વારમાં અસ્થિ વિસર્જન પૂજા, ગયા માં પિંડ દાન પૂજા, ત્રંમ્બકેશ્વર તેમજ ઉજ્જૈનમાં કાલસર્પ પૂજા, સિદ્ધપુરમાં માતૃતર્પણ વિધિ, પ્રભાસપાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ વિધિ આ તમામ ધાર્મિક વિધિઓનો સમાવેશ આ સ્પિરિચ્યુલ ટુરમાં કરવામાં આવ્યો છે

આવી વિધિ કરવા ઇચ્છતા વ્યક્તિઓ જ્યારે આવા પ્રખ્યાત સ્થળે ધાર્મિક વિધિ કરવા જાય ત્યારે ઘણીવાર ભીડ હોવાને કારણે તેમની વિધિ પૂર્ણ થઈ શકતી નથી તેમજ કેટલીક વાર વિધિ કરવા માટે કેટલાક લેભાગુ તત્વો દ્વારા વિધિ કરનાર પાસે અલગ અલગ પ્રવૃતિઓના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આ પેકેજમાં વિવિધ સ્થળો માટે ફિક્સ ચાર્જ સાથેના પેકેજ નક્કી કરવામાં આવ્યા છે.

જેનાથી ધાર્મિક વિધિ કરાવનાર વ્યક્તિને કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો નહિ પડે અને લેભાગુ તત્વો પાસેથી છેતરાવવાનો કોઈ અવકાશ નહિ રહે. સૌથી મહત્વની વાત એ છે કે આ ટુર પેકેજ લેનાર વ્યક્તિઓને વિવિધ ધાર્મિક મંદિરમાં શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાથી લઈને વિધિ માટે જરૂર પડતી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવશે જેને કારણે પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નહિ કરવો પડે.

કોરોનાકાળમાં દેશના તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થયા છે જેમાં સૌથી વધુ પ્રભાવિત થયેલી ઇન્ડસ્ટ્રીમાં ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી છે.

ત્યારે અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્મા માને છે કે કોરોનાકાળમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન કર્યું છે જેને લઈને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે નવતર પ્રયત્નો કરવા જરૂરી છે જેના ભાગરૂપે જ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા સ્પિરિચ્યુલ ટુરની જાહેરાત કરવામાં આવી છે.જેને પ્રાથમિક તબક્કામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">