Ahmedabad : ગણેશ વિસર્જનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અધિકારી સાથે 10 હજાર જેટલા કર્મચારી બંદોબસ્તમાં તૈનાત
મહત્વનું છે કે AMC દ્વારા જે કુંડ બનાવ્યા છે તે 52 જેટલા છે. જ્યાં લાઇટિંગની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેથી ભક્તોને વિસર્જનમાં હાલાકી ન પડે. તો જરૂર પ્રમાણે મજબૂત બેરીકેટિંગ કરવા પર પણ ધ્યાન અપાયુ છે.
અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન છે. કે જ્યારે લોકો ગણેશ વિસર્જન કરવા ઊમટતા હોય છે. તેવા સંજોગોમાં કાયદો વ્યવસ્થા જળવાય તેમજ કોઈ પણ ઘટના ન બને તે જોવું પણ તેટલુંજ જરૂરી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જનને લઈને પૂર્વ તૈયારી કરી અને જરૂરી બંદોબસ્ત સ્કીમ પણ બનાવી.
પોલીસ કમિશનરના કંટ્રોલ ડીસીપીના જણાવ્યા અનુસાર ગણેશ વિસર્જનને લઈને લગભગ 10 હજાર જેટલા કર્મચારી અધિકારી સાથે બંદોબસ્તમાં રહેશે તેમ જણાવ્યું.
ખાસ ગણેશ વિસર્જનમાં પોલીસ બંદોબસ્ત મહત્વનો હોય છે તેમ જણાવી. બંદોબસ્તમાં 13 ડીસીપી, 20થી વધુ એસીપી. 70 પીઆઇ, 265 પીએસઆઇ, 5700 હેડ કોન્સ્ટેબલ સ્ટાફ રહેશે. તો SRP 3 કંપની રહેશે. અને RAF ની એક કંપની જે-તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં રખાશે. એટલું જ નહીં પણ 3700 જેટલા હોમગાર્ડની મદદ લેવાશે.
મહત્વનું છે કે AMC દ્વારા જે કુંડ બનાવ્યા છે તે 52 જેટલા છે. જ્યાં લાઇટિંગની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેથી ભક્તોને વિસર્જનમાં હાલાકી ન પડે. તો જરૂર પ્રમાણે મજબૂત બેરીકેટિંગ કરવા પર પણ ધ્યાન અપાયુ છે. જેથી ધક્કામુક્કી ન થાય અને દુબવાથી મોત ને કોઈ ઘટના ન બને તે મુખ્ય મુદ્દો છે. જે તમામ અનુસંધાને તમામ અધિકારીને બ્રિફ કરી સૂચના પણ આપી દેવાઈ હોવાનું ડીસીપી કંટ્રોલ જણાવ્યું.
તો વધુમાં એ પણ જણાવ્યું કે શહેરમાં 740 સ્થળે ગણેશ પંડાલ લગાવેલ છે. જેમાં ફક્ત 180 સાર્વજનિક ગણેશ વિસર્જન માટે આવનાર છે. બાકી સ્થળ પર વિસર્જન કરશે તેવી માહિતી મળી છે. જેથી નિયમનું પાલન થાય તેવી પોલીસને આશા છે.
જોકે તેમ છતાં આવતીકાલે વિસર્જન છે તો પોલીસ તરફથી અપીલ કરાઈ છે કે શક્ય હોય ત્યાં સુધી સ્થાપન હોય ત્યાં કે આસપાસ જ વિસર્જન કરીએ. કુંડમાં વિસર્જન કરવું આગ્રહ ન રાખીએ. જો જવાનું થાય તો ગાઈડલાઈનનું પાલન કરે. વિસર્જન દરમિયાન ભીડ થાય તો પોલીસને સહકાર આપે. કેમ કે દોઢ વર્ષથી મહામારી જોઈએ છીએ તો તે ધ્યાન રાખી ભીડ ન કરીએ. માસ્ક પહેરી નિયમ પાડી વિસર્જન કરી સહકાર આપીએ તેવી અપીલ કરાઈ.
સાથે જ સરકાર દ્વારા વિસર્જન દરમિયાન નાગરિકોની સંખ્યા 15 નક્કી કરાઈ છે. તેનાથી વધુ લોકો ન જાય માટે આયોજકો સાથે મિટિંગ કરેલ હોવાનું જણાવી કોઈ પણ બનાવ અને વિઘ્ન વગર નિયમ સાથે ગણેશ વિસર્જન થાય તેવી પોલીસે આશા વ્યક્ત કરી છે.