Ahmedabad : બાવળાની રાઈસ મીલમાં મોટી દુર્ઘટના, શેડ પડતા ત્રણ શ્રમિકોના મોત
બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી રાઈસ મીલમાં શેડ પડતા ત્રણ શ્રમિકોના (Labour) મોત નિપજ્યા છે.
Ahmedabad : બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી રાઈસ મીલમાં મોટી દુર્ઘટના(Bavla Tragedy) ઘટી હોવાના સમચાર મળી રહ્યા છે.શેડ પડતા ત્રણ શ્રમિકોના (Labour) ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ લોખંડનો શેડ બનાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ. શેડ ધરાશાયી થવાના કારણે અન્ય ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત પણ થયા છે.જેને સારવાર અર્થ હાલ બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, બાવળા પોલીસે (Bavla Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ વીડિયો
3 labourers dead after shed collapses at Bawla’s rice mill #Ahmedabad #TV9News pic.twitter.com/qyfGD1BVaA
— Tv9 Gujarati (@tv9gujarati) May 24, 2022
તમને જણાવી દઈએ કે, મીલનો શેડ ધરાશાયી થતા લોખંડની ઇંગલો નીચે 7 મજુરો આવી ગયા હતાં. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. એગલો ઉંચી કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતાં.જો કે માથાના ભાગે ઈજા થતા 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઈજાગ્રસ્તોની હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.