Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન, અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટ વધારો

Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ સંલગ્ન કામો હાથ ધરાયા હતા. જેના પગલે જિલ્લામાં સમગ્રતયા 415 કામો હાથ ધરાયા. અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટનો વધારો થયો છે.

Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન, અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટ વધારો
સુજલામ સુફલામ જળ અભિયાનનું ઉત્તમ પરિણામ મળ્યું
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 23, 2021 | 7:44 PM

Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ સંલગ્ન કામો હાથ ધરાયા હતા. જેના પગલે જિલ્લામાં સમગ્રતયા ૪૧૫ કામો હાથ ધરાયા. અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટનો વધારો થયો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત આયોજનના પગલે સમગ્ર રાજ્યમા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાયું હતું. લગાતાર ચોથા વર્ષે યોજાયેલા આ અભિયાન અંતર્ગત અભૂતપૂર્વ સફળતા મળી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી કડીનો પ્રારંભ 1 એપ્રિલ 2021 ના રોજ કરાવ્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ તેના સારા પરિણામ પ્રાપ્ત થયા છે. જિલ્લામાં જળ સંચયના વિવિધ પ્રકારના 415 કામો હાથ ધરાયા અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટનો વધારો થયો છે હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ કામ થકી અમદાવાદ જિલ્લામાં 7,21,230 ઘન મીટરનું ખોદાણ થયું છે. અને છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 18,325 માનવ દિનની રોજગારી પેદા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સૂફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ 2018, 2019 અને 2020 એમ કુલ ત્રણ વર્ષમાં સંગ્રહ શક્તિમાં અનુક્રમે 391.6 લાખ ઘન ફૂટ, 383.8 લાખ ઘન ફૂટ અને 222.5  લાખ ઘન ફૂટનો વધારો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છે. વિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે 01 એપ્રિલથી 10 જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે.

રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">