Ahmedabad : સિવિલના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇનડેડ દર્દીના હ્રદયનું અંગદાન કરવામાં સફળતા, પાંચ લોકોને મળ્યું નવજીવન

અંગદાન માટે લોકોમાં જાગૃતિ અને પ્રોત્સાહન વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અંગદાન માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવિલ હોસ્પિટલના 400થી વધુ હેલ્થ વર્કરોએ અંગદાન કરવા માટેના શપથ લીધા હતા.

Ahmedabad : સિવિલના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇનડેડ દર્દીના હ્રદયનું અંગદાન કરવામાં સફળતા, પાંચ લોકોને મળ્યું નવજીવન
Ahmedabad: Success in organ donation of a braindead patient for the first time in the history of civil
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Sep 17, 2021 | 6:05 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇનડેડ દર્દીના હ્રદયનું અંગદાન કરવામાં સફળતા મળી છે. બ્રેઇન્ડેડ દર્દીના હ્રદયને સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે 12 કિલોમીટરનું અંતર 11 મીનિટમાં કાપી સીમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં દાખલ જુનાગઢના બ્રેઇન ડેડ દર્દીનું હ્રદય સિમ્સ હોસ્પિટલમાં દાખલ મોરબીના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે.

બ્રેઇનડેડ દર્દીના અંગોનું દાન

સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હ્રદયનું અંગદાન મેળવવામાં સફળતા મળી છે. દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હ્રદયનું પણ દાન મેળવવામાં સફળતા મળી છે. મુકેશસિંહ સોલંકીના હ્રદયને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતું. હ્રદયને ગ્રીન કોરિડોર મારફતે પોલીસ એક્સકોર્ટની મદદથી 12 કિ.મી.નું અંતર ફક્ત 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે સરળતાથી પહોંચાડવામાં સફળતા મળી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કુલ પાંચ લોકોને મળ્યું નવજીવન

મુકેશસિંહના પાંચ અંગોમાંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના પુરુષને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને , જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. મુકેશભાઇના હ્રદયને મોરબીના 36 વર્ષના પુરુષમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન સોટ્ટો હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.

9 દિવસમાં 3 અંગદાન થયા

જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે. સિવિલ હોસ્પિટલની સોટ્ટોની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત હ્રદયનું પણ દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને ડિસેમ્બર 2020માં અંગોના રીટ્રાઇવલ સેન્ટર તરીકેની મંજૂરી મળતા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા દર્દીના અંગોનું હોસ્પિટલ ખાતે જ રીટ્રાઇવલ કરીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી શકાય છે.

વડાપ્રધાન મોદીના જન્મદિવસે અંગદાન માટે લોકોને પ્રોત્સાહિત કરાયા

અંગદાન માટે લોકોમાં જાગૃતિ અને પ્રોત્સાહન વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અંગદાન માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવિલ હોસ્પિટલના 400થી વધુ હેલ્થ વર્કરોએ અંગદાન કરવા માટેના શપથ લીધા હતા.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં ગુજરાતના 29 લાખ કુટુંબોને લાભ મળ્યો : CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : AMC નો મોટો નિર્ણય, વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, અને આ સ્થળોએ નહીં મળે પ્રવેશ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">