Ahmedabad : એરપોર્ટ પર દર રવિવારે યોજાય છે વિશેષ ફ્રિકશન ટેસ્ટ, કેમ કરવામાં આવે છે આ ટેસ્ટ ?

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) દર રવિવારે વિશેષ ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે. ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એરપોર્ટ માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી હોય ભાગરૂપે આ કામગીરી કરવામાં આવે છે.

Ahmedabad : એરપોર્ટ પર દર રવિવારે યોજાય છે વિશેષ ફ્રિકશન ટેસ્ટ, કેમ કરવામાં આવે છે આ ટેસ્ટ ?
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 04, 2021 | 3:15 PM

ચોમાસાની સીઝનમાં એરપોર્ટ (Airport ) પર બર્ડ હિટ (Bird hit) તેમજ ફ્લાઇટ રનવે પરથી ઉતરી જવાની ઘટના બનતી હોય છે. આવી ઘટનાઓ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર ના બને તે માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર દર રવિવારે વિશેષ ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી એરપોર્ટના રનવેમાં કોઈ ખામી છે કે કેમ તેનો અંદાજો મેળવી શકાય છે.

એરપોર્ટના રન વે પર નાનો ખાડો અથવા ફલાઈટના ટાયરનું ચોંટેલું રબ્બર પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. જો કે આવી કોઈ દુર્ઘટના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ના બને તે માટે દર સપ્તાહે એરપોર્ટના રનવેનું સમારકામ કરવામાં આવે છે. આ સાથે જ રનવેનો ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં વિશેષ પ્રકારની કાર અમદાવાદ એરપોર્ટના રનવે ઉપર 100-120 કિમિ પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવે છે. જેનાથી એરપોર્ટના રનવેની ચકાસણી થઈ શકે.

આ સાથે જ એરપોર્ટના રનવે પર ફ્લાઈટના ટાયર ધડાકાભેર રન વે પર અથડાય ત્યારે રબ્બરનો કેટલોક ભાગ રનવે પર ચોંટી જતો હોય છે. જેને દૂર કરવા માટે વિશેષ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ કામગીરી કરવા માટે એરપોર્ટનો રનવે દર રવિવારે બપોરે 11 થી 3 સુધી બંધ રહેતું હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહત્વનું છે કે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એરપોર્ટ માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવતી હોય છે. DGCA ના નિયમ મુજબ જે એરપોર્ટ પર દિવસ દરમ્યાન 210થી વધુ ફ્લાઈટોનું સંચાલન થતું હોય તેવા એરપોર્ટ પર દર સપ્તાહે આ પ્રકારનો ફ્રિક્શન ટેસ્ટ કરવો જરૂરી છે. તો જે એરપોર્ટ પર દિવસ દરમ્યાન 151 થી 210 ફ્લાઈટનું સંચાલન થતું હોય તેવા એરપોર્ટ પર દર 15 દિવસે આ કામગીરી કરવામાં આવતી હોય છે.

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિકની (Domestic flight) સાથે ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું (International flights) પણ સંચાલન થતું હોવાને કારણે રોજની 210 થી વધુ ફ્લાઈટની આવન-જાવન રહેતી હોય છે. જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રકારના ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવે છે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">