VIDEO: અમદાવાદના બોપલ બાદ નિકોલમાં AMCએ બનાવેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી
અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે. […]
અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે.
આ પણ વાંચોઃ ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છેકે, પાણીની ટાંકીનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેમાં એક સ્લેબ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં 15 દિવસ દરમિયાનમાં આ બીજી દુર્ઘટના છે અગાઉ પણ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યા હતા. હજુ તો પાણીની ટાંકીનું કામ ચાલુ હતું આ સમયે જ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રકારની બેદરકારી પાછળ તંત્ર જવાબદારી લેશે કે, દર વખતની માફક તપાસના બહાને છટકી જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]