Ahmedabad: નવરાત્રિ પૂર્વે બજારોમાં ધૂમ ખરીદી, ચણિયાચોળીથી લઈને તમામ ચીજ વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો

Ahmedabad: નવરાત્રિ પૂર્વે બજારોમા ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. ખાસ કરીને ચણિયાચોળીની બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. આ વર્ષે તમામ ચીજ વસ્તુઓની ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો હોવા છતા લોકો હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે.

Ahmedabad: નવરાત્રિ પૂર્વે બજારોમાં ધૂમ ખરીદી, ચણિયાચોળીથી લઈને તમામ ચીજ વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Sep 19, 2022 | 2:57 PM

ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદ(Ahmedabad)માં બજારોમાં નવરાત્રિની રોનક જામી છે. ત્રણ વર્ષ બાદ નવરાત્રિ (Navratri) ધામધૂમ પૂર્વક ઉજવાશે જેને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તરફ બજારોમાં પણ લોકો હોંશે હોંશે ખરીદી(Shopping) કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબાના કોઈ મોટા આયોજનો થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ગુજરાતીઓની પ્રિય એવી નવરાત્રિ દરમિયાન કોઈ કસર બાકી રાખવા માગતા નથી. જો કે આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સ થી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા બજારોમાં ભારે ખરીદી નીકળી છે.

ચણિયા-ચોળી સહિત દરેક ચીજવસ્તુના ભાવમાં 15 થી 20 ટકાનો ભાવ વધારો

શહેરના ટેકસ્સ્ટાઈલ માર્કેટના 70,000 વેપારીઓ અને ઉદ્યોગકારોને આ નવરાત્રિ ફળદાયી નિવડશે તેવી આશા છે. ટેક્સ્ટાઈલ માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓને નવરાત્રિમાં સારો વેપાર મળવાની આશા છે. આ તરફ અમદાવાદનું પ્રખ્યાત ચણિયાચોળી બજાર એવુ લો ગાર્ડનમાં ચણિયાચોળી, કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું સારુ એવુ વેચાણ થઈ રહ્યુ છે. આ વર્ષે લો ગાર્ડન ખાતે બે હજાર સુધીની વિવિધ ચણિયાચોળી બજારમાં જોવા મળી રહી છે. જેમા ભરત ગૂંથણની સાથે અવનવી ડિઝાઈન અને કેડિયાની ખૂબ માગ છે. આ વર્ષે ચણિયાચોળી સહિત તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાનુ ગ્રાહકો કહી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાલ નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે લોકો અવનવી ડિઝાઈન અને ભાત ભાતના કપડાની ખરીદી કરી રહ્યા છે. જો કે  ભાવ વધારો તો છે જ પણ સાથોસાથ છેલ્લા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે જે પ્રતિબંઘો લાગેલા હતા અને જાહેર ગરબા પર રોક લગાવવાની સાથે સાથે શેરી ગરબામાં પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હવે આ વર્ષ પરિસ્થિતિમાં ફેરફાર થતા લોકો ખુશ છે અને કોઈ પણ ભોગે નવરાત્રી ઉજવવા તેયાર છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં પણ તહેવારોને લઈ રોનક દેખાઈ રહી છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">