Ahmedabad : વાયુસેનાના નિવૃત્ત સૈનિકો દ્વારા સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન

Ahmedabad : નિવૃત્ત સૈનિક એર માર્શલ પી.કે. દેસાઇના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાતનું એરફોર્સ એસોસિએશન (Air Force Association of Gujarat) ગુજરાતમાં વાયુસેનાના નિવૃત્ત યોદ્ધાઓનું સંગઠન છે.

Ahmedabad : વાયુસેનાના નિવૃત્ત સૈનિકો દ્વારા સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન
વાયુસેનાના નિવૃત્ત સૈનિકો દ્વારા સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન  
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 20, 2021 | 12:07 PM

Ahmedabad : નિવૃત્ત સૈનિક એર માર્શલ પી.કે. દેસાઇના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાતનું એરફોર્સ એસોસિએશન ( Air Force Association of Gujarat) ગુજરાતમાં વાયુસેનાના નિવૃત્ત યોદ્ધાઓનું સંગઠન છે. ફરજ દરમિયાન રાષ્ટ્રની સેવા કરનારા આ નિવૃત્ત સૈનિકો નિયમિત ધોરણે સમાજની સેવાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

મહામારી દરમિયાન તેમણે સોલા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા કોવિડના બહારગામના દર્દીઓના સગાઓને ભોજન અને પાણીનું વિતરણ કર્યું હતું. તેમણે મહામારીથી અસરગ્રસ્ત ગરીબ પરિવારોમાં રેશનની કિટ્સનું વિતરણ પણ કર્યું હતું.

તેમણે હવે ગરીબ વિસ્તારોમાં માસ્ક પહેરવા અંગે અને માસિક દરમિયાન સ્વચ્છતા સંબંધે મહિલાઓ અને છોકરીઓને સમજાવવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલમાં તેમની સાથે નિવૃત્ત સૈનિકો દ્વારા રચવામાં આવેલા મિસામીલ ટ્રસ્ટ અને નિવૃત્ત સૈનિક એર કોમોડોર ધરમવીર દ્વારા સ્થાપવામાં આવેલી એસ.ટી.ઓ.ઇ. પ્રા. લિમિટેડ પણ જોડાયા છે. આ કંપની માસ્ક અને સેનેટરી પેડ્સનું ઉત્પાદન કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

19 જૂનના રોજ તેમણે સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગરમાં તેમજ બોપલ અને ઘુમા વિસ્તારમાં માસ્ક અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. નંબર 2 એર NCC સ્ક્વૉડ્રનના વરિષ્ઠ કેડેટ્સે માનવ પ્રતિકૃતિઓ દ્વારા મહિલાઓને માહિતગાર કરી હતી. મિસામીલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીના પી. દેસાઇ અને અન્ય લોકોએ કેડેટ્સની મદદથી માસ્ક અને પેડનું વિતરણ કર્યું હતું.

નિવૃત્ત સૈનિક વિંગ કમાન્ડર દીનેશ વાસવાની, રમેશ મેહદિરત્તા અને કેડેટ કોર્પોરલ પૂર્વી કોલછાએ કેડેટ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ કવાયત ચાલુ રાખવાનો અને મણીનગર, ચાંદખેડા, નરોડા, બાપુનગર વગેરે વિસ્તારોમાં 20 જૂનથી 23 જૂન દરમિયાન 2500 પેડ્સનું વિતરણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

સેનેટરી પેડના વિનામૂલ્યે વિતરણ ઉપરાંત, ભવિષ્યમાં માસિક સમયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે રાહત દરે પણ પેડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">