Ahmedabad : વાહનચાલકો માટે રાહતનાં સમાચાર, 45 દિવસ બાદ નેહરૂ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો
Nehru bridge પરથી પસાર થતા લોકોને 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડતું હતું. જે હવે ફરીથી શરૂ થતાં લોકોને વૈકલ્પિક રુટ પરથી પસાર થવાની માથાકૂટમાઠી રાહત મળશે.
Ahmedabad : નેહરૂ બ્રિજ (Nehru bridge) સમારકામને પગલે છેલ્લા 45 દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. જે આજે સમારકામ પૂર્ણ થતાં તેને લોકોની આવન-જાવન માટે ફરીરથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ નેહરૂ બ્રિજને સમારકામ હેતુ બંધ કરવાં આવ્યો હતો. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહ્યો હતો. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડતો હતો.જેને પગલે ફરીથી બ્રિજ શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર છે.
બ્રિજ જર્જરિત થઈ જતા તેના સમારકામ માટે ભોપાલની કંપનીને રૂપિયા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નેહરૂ બ્રિજ પરથી પસાર થતા લોકોને 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડતું હતું. જે હવે ફરીથી શરૂ થતાં લોકોને વૈકલ્પિક રુટ પરથી પસાર થવાની માથાકૂટમાઠી રાહત મળશે.
જે આજે સમારકામ પૂર્ણ થતાં તેને લોકોની આવન-જાવન માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ નેહરૂ બ્રિજને સમારકામ હેતુ બંધ કરવાં આવ્યો હતો. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહ્યો હતો. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડતો હતો.જેને પગલે ફરીથી બ્રિજ શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર છે.