Ahmedabad: ઘટશે ટ્રાફિકનું ભારણ, વસ્ત્રાલમાં નવનિર્મિત વર્તુળાકાર બ્રિજનું ટૂંક સમયમાં થશે લોકાર્પણ

વસ્ત્રાલ ચાર રસ્તા પાસે વર્તુળાકાર તૈયાર થયેલ બ્રિજની ખાસિયતની વાત કરીએ તો આ બ્રિજ સંપૂર્ણપણે સ્ટીલમાંથી બનાવવામાં આવ્યો છે તથા આ બ્રિજમાં પ્રવેશ કરવા માટે ચાર માર્ગ આપવામાં આવ્યા છે અને તમામ તરફ એસ્કેલેટર એટલે કે સ્વયં સંચાલિત સીડી પણ મૂકવામાં આવી છે

Ahmedabad: ઘટશે ટ્રાફિકનું ભારણ, વસ્ત્રાલમાં નવનિર્મિત વર્તુળાકાર બ્રિજનું ટૂંક સમયમાં થશે લોકાર્પણ
વસ્ત્રાલમાં નવમિર્મિત ગોળાકાર ફૂટ ઓવર બ્રિજનું ટૂંક સમયમાં થશે લોકાર્પણ
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Oct 10, 2022 | 8:02 PM

સતત વધતી ટ્રાફિક સમસ્યા સામે અમદાવાદીઓને (Ahmedabad) વધુ એક નવા બ્રિજની ભેટ મળશે. અમદાવાદના વસ્ત્રાલ  (Vastral) વિસ્તારમાં  વર્તુળાકાર બ્રિજ બનીને તૈયાર છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.  વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે નવનિર્મિત રાઉન્ડ સર્કલ ફૂટઓવર બ્રિજ બનીને તૈયાર છે, જેનું  લોકાર્પણ  કરવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વાહન વ્યવહારમાં તથા રાહદારીઓને કઈ રીતે રાહત મળે તેનો સતત વિચાર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જે અંતર્ગત રાઉન્ડ સર્કલ ફૂડ ઓવરબ્રિજ  (Overbridged) તૈયાર કરવામાં આવ્યો છે આ સર્કલની મદદથી રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ સરળતા રહેશે.

મેટ્રો ટ્રેન સુધી પહોંચાડશે આ બ્રિજ

તેનું મુખ્ય કારણ એ છે કે આ માર્ગ સરદાર પટેલ રિંગરોડ માર્ગ છે, જેના કારણે મોટી સંખ્યામાં ભારે વાહનો અહીંયાથી 24 કલાક પસાર થતા રહે છે અને ઘણી વખત અકસ્માત થવાના અહેવાલો પણ સામે આવતા રહે છે ત્યારે આ બ્રિજ બનવાને કારણે શહેરીજનોને રસ્તો પસાર કરવામાં સરળતા થશે તથા જો કોઈ મુસાફરને મેટ્રો ટ્રેનમાં સવારે કરવી હશે તો તેને પણ આ બ્રિજ સીધો જ મેટ્રો સ્ટેશન પહોંચાડી આપશે.

વસ્ત્રાલ ચાર રસ્તા પાસે વર્તુળાકાર તૈયાર થયેલ બ્રિજની ખાસિયતની વાત કરીએ તો આ બ્રિજ સંપૂર્ણપણે સ્ટીલમાંથી બનાવવામાં આવ્યો છે તથા આ બ્રિજમાં પ્રવેશ કરવા માટે ચાર માર્ગ આપવામાં આવ્યા છે અને તમામ તરફ એસ્કેલેટર એટલે કે સ્વયં સંચાલિત સીડી પણ મૂકવામાં આવી છે કે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિનિયર સિટીઝન લોકોએ આ બ્રિજનો ઉપયોગ કરવો હોય તો તેમને પણ સરળતાથી મળી રહે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
Vastral Foot over bridge

નવ નિર્મિત ફૂટઓવર બ્રિજ દ્વારા મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે.

ફૂટઓવર બ્રિજની છે અનેક વિશેષતા

અનેક ખાસિયત ધરાવતા આ બ્રિજની વાત કરવામાં આવે તો આ બ્રિજની લંબાઈ 320 મીટર, બ્રિજના વર્તુળની લંબાઈ 250 મીટર, આ સાથે જ બ્રિજની પહોળાઈ ચાર મીટર રાખવામાં આવી છે એટલે કે એક સાથે ખૂબ મોટી સંખ્યામાં રાહદારીઓ આ બ્રિજ પરથી પસાર થઈ શકે આ સાથે જ સામાન્ય રસ્તાથી બ્રિજની ઊંચાઈ 5.67 મીટર રાખવામાં આવી છે. અનેક વિવિધતા અને વિશાળતા ધરાવતો આ બ્રિજ અંદાજિત 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં શહેરીજનોને તેનો લાભ પણ મળવા લાગશે  અને ચોક્કસથી આવા પ્રકારના બ્રિજને કારણે અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં ઘટાડો પણ જોઈ શકાશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">