Ahmedabad : ગંભીર બીમારી સામે નવજાતએ જીત મેળવી, માતાને કોરોના થતા ગર્ભમાં જ થઇ હતી બીમારી

ગર્ભવતી મહિલાઓએ પણ આ સમયમાં તેમનું અને તેમના ગર્ભમાં વિકસી રહેલા બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ગર્ભવતી મહિલાને જો કોરોના થાય તો તેની સીધી અસર ગર્ભમાં વિકસી રહેલા બાળક પર થાય છે.

Ahmedabad : ગંભીર બીમારી સામે નવજાતએ જીત મેળવી, માતાને કોરોના થતા ગર્ભમાં જ થઇ હતી બીમારી
Ahmedabad: Newborn wins against serious illness, the mother contracted the disease in her womb
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:01 AM

Ahmedabad : જો તમે ગર્ભવતી હોવ તો કોરોનાકાળમાં તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે, નહિ તો તમારા બાળકને થઈ શકે છે MIS-N નામની જીવલેણ બીમારી. જોકે ખુશીની વાત એ છે કે ભારતના સૌથી નાની ઉંમરના બાળકમાં જોવા મળેલી આ બીમારી સામે અમદાવાદના બાળકે વિજય મેળવ્યો છે. જેને કારણે તેના માતા-પિતા તેમજ બાળકની સારવાર કરનાર ડોકટર ખુશ છે.

સંભવીત ત્રીજી લહેરમાં નાના બાળકોને અસર થવાની શક્યતાઓ ડોકટર્સ દ્વારા સેવવામાં આવતા માતા-પિતા તેમના બાળકોનું વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. પરંતુ આટલાથી સંતોષ નહિ માનવાનો. ગર્ભવતી મહિલાઓએ પણ આ સમયમાં તેમનું અને તેમના ગર્ભમાં વિકસી રહેલા બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ગર્ભવતી મહિલાને જો કોરોના થાય તો તેની સીધી અસર ગર્ભમાં વિકસી રહેલા બાળક પર થાય છે.

આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હતો. જોષનાબેન ગર્ભવતી હતા ત્યારે તેમને કોરોના થયો હતો. જેની અસર તેમના ગર્ભમાં રહેલા બાળક પર થઇ હતી. જેને કારણે 27 અઠવાડિયે જ જોષનાબેનની પ્રિમેચ્યુર ડીલીવરી કરવામાં આવી હતી. તે સમયે બાળકનું વજન 740 ગ્રામ હતું. પરંતુ બીમારીને કારણે બાળકનું વજન ઘટીને 620 ગ્રામ થઈ ગયું હતું. જેના પરથી ડોક્ટરે બાળકની સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં 73 દિવસ સુધી સારવાર કર્યા બાદ હવે આ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે અને તેમને રજા આપવામાં આવી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

શું છે MIS-N નામની જીવલેણ બીમારી ?

નવજાત શિશુના નિષ્ણાંત ડો.આશિષ પટેલનું માનવું છે કે આ બીમારી અત્યાર સુધી 1 વર્ષથી ઉપરના બાળકોમાં જોવા મળતી હતી. પરંતુ કોરોના પછી આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે નવજાત શિશુમાં પણ આ બીમારી જોવા મળી રહી છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે. ત્યારે જ તેના શરીરના કેટલાક અંગોને નુકસાન થતું હોય છે. જેને કારણે આ બીમારીથી બાળકોને બચાવવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જોષનાબેનના બાળકમાં આ બીમારી દેખા દેતા અમારી ટીમ દ્વારા આ બાળકની દિવસ-રાત સારવાર કરવામાં આવી હતી. અને આખરે 73 દિવસ બાદ આ બાળકે આ બીમારીને હરાવી છે જેનો શ્રેય અમારી ટીમને જાય છે.

ગર્ભવતી મહિલાને જ્યારે કોરોના થાય છે ત્યારે તેના શરીરમાં ઉતપન્ન થતી એન્ટિબોડી તેમના ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચતી નથી. જેને કારણે આ બીમારી બાળકોને થતી હોય છે. જોકે ભારતમાં આ પહેલો કિસ્સો હતો કે કોરોના પછી આટલી નાની ઉંમરના બાળકમાં આ બીમારી થઈ હતી. જેનું નિદાન કરવામાં અમદાવાદના ડોક્ટરને સફળતા મળી છે અને જોષનાબેનના બાળકને નવી જિંદગી..!!

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">