Ahmedabad : શિવરંજીની હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક, પોલીસે હોમગાર્ડની ખાતાકીય તપાસના આપ્યા આદેશ
પોલીસ તંત્ર દ્વારા હાલ, હોમગાર્ડ કમાન્ડરને પત્ર લખીને હોમગાર્ડ જવાન પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસ તપાસ દરમિયાન કરેલી પૂછપરછમાં હોમગાર્ડ પરબત પણ શંકાના દાયરામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા શિવરંજીની હિટ એન્ડ રન (Hit and run)કેસમાં પર્વ શાહના સાક્ષી તરીકે હોમગાર્ડ જવાનની પોલીસ ચોપડે સાક્ષી તરીકે નોંધ કરવામાં આવી છે. જેને કારણે હોમગાર્ડ (Home guard)પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે હોમગાર્ડ કમાન્ડરને (Commander) પત્ર લખવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, પર્વ શાહ જે કારનો પીછો કરતા હતા તે સમયે જ શિવરંજની વિસ્તારમાં હિટ એન્ડ રનની( Hit And Run) ઘટના બની હતી. ત્યારે હાલ અન્ય પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનની કામગિરી સામે અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે.
પોલીસ તંત્ર દ્વારા હાલ, હોમગાર્ડ કમાન્ડરને પત્ર લખીને હોમગાર્ડ જવાન પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસ તપાસ દરમિયાન કરેલી પૂછપરછમાં હોમગાર્ડ પરબત પણ શંકાના દાયરામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,જે હોમગાર્ડ જવાન પરબત ઠાકોર અકસ્માતના દિવસે ડ્યુટી (Duty) ન હોવા છતાંય શિવરંજની વિસ્તારમાં ધૈર્ય પટેલની ગાડીમાં બેસી પર્વ શાહની ગાડીનો પીછોકર્યો હતો. ઉપરાંત ઘટનાના, CCTVમાં જે કાર દેખાઈ રહી છે તેમાં ધૈર્યની સાથે હોમગાર્ડ પણ હાજર હતો. ત્યારે અકસ્માત બાદ ઘટના સ્થળે કેમ ન આવ્યો અને અકસ્માત થયો ત્યારે એ ત્યાં કેમ ન રોકાયો જેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે.
જો કે, પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં હાલ કોઈ અન્ય બાબત સામે નથી આવી પરંતુ હિટ એન્ડ રનમાં થયેલી દુર્ઘટના બાદ હકિકત સામે આવવી જરૂરી છે.
આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર