Ahmedabad : દહેજના દૂષણે લીધો વધુ એક પરિણીતાનો ભોગ, દોઢ વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી
અમદાવાદના નારોલમાં રહેતા ઇન્દુબેન પાસે સાસરિયાઓ દહેજની માંગણી કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી પરિણીતાએ કંટાળીને પોતાના ઘરમાં દોઢ વર્ષની દીકરીને સુવડાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
અમદાવાદના (Ahmedabad ) નારોલમાં દહેજના (Dowry) લાલચુ સાસરિયાએ વધુ એક પરણીતાનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. એક પરણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત (Suiside) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ કસ્ટડી માં રહેલા આ આરોપીઓ ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ અને મનોજ ઉર્ફે સચિન પાલ છે. આ દહેજ ના પૂજારીઓ એ એક પરણીતા નો ભોગ લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો 26 વર્ષીય ઇન્દુ પાલે પોતાના પતિ ગજેન્દ્ર, દેવર મનોજ અને સાસુ રાજવતી ના માનસિક ત્રાસ થી કંટાળીને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આરોપી દહેજના લાલચુ હતા. જે ઇન્દુબેન પાસે દહેજ ની માંગણી કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી પરિણીતાએ કંટાળીને પોતાના ઘરમાં દોઢ વર્ષની દીકરીને સુવડાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
ઇન્દુબેન પાલના લગ્ન 2019 માં જ્ઞાતિના રીતરિવાજથી ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ સાથે થયા હતા. ગજેન્દ્ર શાકભાજીનો વેપારી છે. બંનેના સુખી લગ્ન જીવનમાં દોઢ વર્ષની દીકરી નંદનીનો જન્મ થયો પરંતુ આ દરમિયાન મૃતક ઇન્દુબેનની બહેનના લગ્ન થયા હતા. જેથી ઇન્દુબેનના પતિ અને સાસરિયા તેમને દહેજની માંગણી કરવા લાગ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તારા પિતાએ બહેનને દહેજમાં જમીન આપી છે અને તને કંઈ નથી આપ્યું. તેવું કહીને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. આ માનસિક ત્રાસથી કંટાળીને ઇન્દુબેનએ આપઘાત કરીને જિંદગીનો અંત લાવ્યો.
નારોલ પોલીસે મહિલાના આપઘાત કેસમાં પોલીસે દુષપેરણાનો ગુનો નોંધીને પતિ ગજેન્દ્ર અને દેવર મનોજ ની ધરપકડ કરી છે. જ્યારે સાસુ રાજવતી ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે.