Ahmedabad : દહેજના દૂષણે લીધો વધુ એક પરિણીતાનો ભોગ, દોઢ વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદના નારોલમાં રહેતા ઇન્દુબેન પાસે સાસરિયાઓ દહેજની માંગણી કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી પરિણીતાએ કંટાળીને પોતાના ઘરમાં દોઢ વર્ષની દીકરીને સુવડાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

Ahmedabad : દહેજના દૂષણે લીધો વધુ એક પરિણીતાનો ભોગ, દોઢ વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી
Ahmedabad Narol Police Station (File Image)
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 07, 2022 | 6:32 PM

અમદાવાદના (Ahmedabad ) નારોલમાં દહેજના (Dowry) લાલચુ સાસરિયાએ વધુ એક પરણીતાનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. એક પરણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત (Suiside) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ કસ્ટડી માં રહેલા આ આરોપીઓ ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ અને મનોજ ઉર્ફે સચિન પાલ છે. આ દહેજ ના પૂજારીઓ એ એક પરણીતા નો ભોગ લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર  ઘટના ની વાત કરીએ તો 26 વર્ષીય ઇન્દુ પાલે પોતાના પતિ ગજેન્દ્ર, દેવર મનોજ અને સાસુ રાજવતી ના માનસિક ત્રાસ થી કંટાળીને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આરોપી દહેજના લાલચુ હતા. જે ઇન્દુબેન પાસે દહેજ ની માંગણી કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી પરિણીતાએ કંટાળીને પોતાના ઘરમાં દોઢ વર્ષની દીકરીને સુવડાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

ઇન્દુબેન પાલના લગ્ન 2019 માં જ્ઞાતિના રીતરિવાજથી ગજેન્દ્ર ઉર્ફે અનિલ પાલ સાથે થયા હતા. ગજેન્દ્ર શાકભાજીનો વેપારી છે. બંનેના સુખી લગ્ન જીવનમાં દોઢ વર્ષની દીકરી નંદનીનો જન્મ થયો પરંતુ આ દરમિયાન મૃતક ઇન્દુબેનની બહેનના લગ્ન થયા હતા. જેથી ઇન્દુબેનના પતિ અને સાસરિયા તેમને દહેજની માંગણી કરવા લાગ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તારા પિતાએ બહેનને દહેજમાં જમીન આપી છે અને તને કંઈ નથી આપ્યું. તેવું કહીને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. આ માનસિક ત્રાસથી કંટાળીને ઇન્દુબેનએ આપઘાત કરીને જિંદગીનો અંત લાવ્યો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નારોલ પોલીસે મહિલાના આપઘાત કેસમાં પોલીસે દુષપેરણાનો ગુનો નોંધીને પતિ ગજેન્દ્ર અને દેવર મનોજ ની ધરપકડ કરી છે. જ્યારે સાસુ રાજવતી ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">