Ahmedabad: નરોડા પાટિયા કેસના આરોપીની થઈ હત્યા, પોલીસે કરી 2 લોકોની ધરપકડ

અમદાવાદ શહેરમાં હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં નરોડા પાટિયા આરોપીની જ બે લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જે ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

Ahmedabad: નરોડા પાટિયા કેસના આરોપીની થઈ હત્યા, પોલીસે કરી 2 લોકોની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 02, 2021 | 10:19 PM

અમદાવાદ શહેરમાં હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં નરોડા પાટિયા આરોપીની જ બે લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જે ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

નરોડા પોલીસે કમલેશ ચુનારાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને માત્ર કમલેશ નહીં પણ એક સગીરને પણ હત્યાના ગુનામાં પકડવામાં આવ્યો છે. ગત રાતે પોલીસને બાતમી મળી હતી કે નરોડા પાટિયા પાસે સંજય નગર છાપરા પાસે નવાબ કાળુ ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ છે. જે બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા સામે આવ્યું કે મૃતકને પકડાયેલા આરોપીઓએ 12થી 15 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક થોડા વર્ષ પહેલા આરોપી કમલેશના પરિવારમાંથી એક મહિલાને ભગાડી ગયો હતો. જેની અદાવત હતી. સાથે જ નાણાંની લેવડ દેવડ અને તાજેતરમાં જ મહિલા સાથે બોલા ચાલી થઈ હતી. જે તમામ બાબતોની અદાવત રાખી કમલેશ અને સગીર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર પાસે ગયા હતા. જ્યાં વાતચીત ચાલુ હતી અને તરત સગીર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યો અને બાદમાં કમલેશે પણ હાથ સાફ કર્યો.

જે ઘટનામાં નવાબ ઉર્ફે કાળુ ઠાકોરનું મોત નિપજતા બંનેની પોલીસે ધરપકડ કરી. તેમજ તપાસમાં આરોપી નોકરી કરતો હોવાનું અને મૃતક નરોડા પાટિયા કાંડમાં આરોપી હોવાનું સામે આવ્યું. જે થોડા સમય પહેલા સાબરમતી જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ સગીર સહિત બેની ધરપકડ પણ કરી લીધી છે.

ત્યારે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ હાલ આજ કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણસર નવાબ ઉર્ફે કાળુ ઠાકોરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જે પોલીસ તપાસમાં જ સામે આવશે. જે માટે પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે બાંગ્લાદેશના રેમડેસિવિરની કાળા બજારી કરતા વ્યક્તિની કરી ધરપકડ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">