Ahmedabad: રથયાત્રા લઈ શહેર પોલીસ અને ગૃહ વિભાગ સતર્ક, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક જગન્નાથ મંદિર પહોંચ્યા, ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની વ્યવસ્થા અને પોલીસ સુરક્ષાને (Police security) લઈને બેઠક યોજાઇ. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક જગનાથ મંદિર આવી પહોંચતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા.

Ahmedabad: રથયાત્રા લઈ શહેર પોલીસ અને ગૃહ વિભાગ સતર્ક, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક જગન્નાથ મંદિર પહોંચ્યા, ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક
Harsh Sanghvi held a meeting with senior police officials
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 13, 2022 | 6:35 PM

અષાઢી બીજના દિવસે પરંપરા મુજબ અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા (Rathyatra) ભક્તો વિના જ નીકળી હતી. જો કે આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે. રથયાત્રાની તૈયારીમાં આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારી જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાને મંદિરમાં આરતી ઉતારી હતી અને મહંત દીલીપદાસજીના આશીર્વાદ લીધા હતા. ગૃહ રાજ્ય પ્રધાને આ વર્ષે ભવ્યથી અતિભવ્ય રથયાત્રા નીકળશે તેવી જાહેરાત કરી હતી અને લાખો ભક્તો રથયાત્રામાં જોડાશે તેવું જણાવ્યું હતું.

હર્ષ સંઘવીએ રથયાત્રા પર સુરક્ષા વ્યવસ્થાને લઇ કરી ચર્ચા

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની વ્યવસ્થા અને પોલીસ સુરક્ષાને લઈને બેઠક યોજાઇ. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક જગનાથ મંદિર આવી પહોંચતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. હર્ષ સંઘવીએ અડધો કલાક સુધી મીટિંગમાં અનેક ચર્ચાઓ કરી હતી. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્ત, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર પ્રેમવિરસિંહ, ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડા, સેક્ટર 1 જેસીપી આર.વી. અસારી, સેકટર-2 જેસીપી ગૌતમ પરમાર, તમામ ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા માટે સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ વિભાગ બન્યુ સતર્ક

આ વર્ષે ભાવિ ભક્તો સંખ્યામાં વધારો થવાની શકયતાને લઈ પોલીસ વિભાગ હાલ સતર્ક થઈ ગયું છે. જો કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ વિભાગે માઈક્રો પ્લાનિંગ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે 14 જુને રિવરફ્રન્ટ ઘાટ પર થનારી જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાશે તેવું પણ તેમણે જણાવ્યુ હતુ. સાથે જ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા લઈ તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મહત્વનું છે કે આ પહેલા અક્ષયતૃતિયાના શુભ મુહૂર્તમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. રથપૂજાની સાથે જ આગામી રથયાત્રા નિમિત્તેના કાર્યક્રમોની શરુઆત થઇ હતી. છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળને લીધે રથયાત્રા કેટલાક નિયમોના પાલન સાથે કરવામાં આવી હતી. જો કે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા નીકળવાની સૌને આશા છે અને ભક્તોમાં ઉત્સાહ પણ છે.

આવતા વર્ષે ભગવાનના ત્રણેય રથ બદલવામાં આવશે

બીજી તરફ અમદાવાદમાં યોજાતી જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે આવતા વર્ષે ભગવાનના ત્રણેય રથ બદલવામાં આવશે. તેમજ નવા રથનું નિર્માણ કાર્ય આવતા વર્ષે શરૂ કરાશે. આ વર્ષે રથ બનાવવા માટેના લાકડાં લાવી દેવામાં આવ્યા છે. ત્યારે નવા રથ સરળતાથી દર્શન કરી શકાય તે પ્રકારના બનાવાશે. જગન્નાથ પુરીના અનુભવી કારીગરોની પણ પ્રભુના રથના નિર્માણ કાર્યમાં મદદ લેવાશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">