Ahmedabad: એલ.ડી. કોલેજમાં NSUI ના વિદ્યાર્થી નેતાએ પ્રિન્સિપાલ ઉપર છૂટી ખુરશી ફેંકી, પ્રિન્સિપાલે નોંધાવી પોલીસ ફરિયાદ

કોલેજના પ્રિન્સિપાલ ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ  L.D આર્ટ્સ કોલેજમાં (L.D Arts College) તોફાન મચાવતા હોવાની ફરિયાદો અગાઉ આવી ચૂકી છે, પરંતુ માફી પત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા.

Ahmedabad: એલ.ડી. કોલેજમાં NSUI ના વિદ્યાર્થી નેતાએ પ્રિન્સિપાલ ઉપર છૂટી ખુરશી ફેંકી, પ્રિન્સિપાલે નોંધાવી પોલીસ ફરિયાદ
એલ.ડી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થી નેતાની તોડફોડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 26, 2022 | 6:18 PM

અમદાવાદમાં (Ahmedabad) L.D આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરીના મામલે પ્રિન્સિપાલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (Gujarat University Police Station) માં વિદ્યાર્થીઓએ કરેલી તોડફોડ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ  L.D આર્ટ્સ કોલેજમાં તોફાન મચાવતા હોવાની ફરિયાદો અગાઉ આવી ચૂકી છે, પરંતુ માફી પત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓએ હદ પાર કરીને મને જેમ તેમ બોલીને મારવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના કહેવા મુજબ-આ ત્રણેય વિદ્યાર્થીઓ છોકરીઓના ફોટા લઈને એકબીજાને ફોરવર્ડ કરતા હતા. કોલેજના ગ્રુપમાંથી નંબર લઈને ખરાબ મેસેજ કરતા હતા. છોકરીઓ રિક્ષામાં જાય ત્યારે તેમની પાછળ પાછળ જાય છે. ગર્લ્સ વૉશ રૂમમાં છોકરીઓના નામે ગાળો લખે છે.

કોલેજમાં દાદાગીરી કરનારા અને તોફાન મચાવનારા ત્રણેય વિદ્યાર્થીઓને L.D. આર્ટસના પ્રિન્સિપાલ (Principal) મહિપતસિંહ ચાવડાએ મળવા બોલાવ્યા હતા. ત્યારે દાદાગીરી કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા. અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ સાથે વાતચીત કરતા કરતા ઉશેકરાઈને એક વિદ્યાર્થીની ઉભી હતી તેના માથા પરથી પોર્ટ છૂટો ફેંક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ ઘટનાથી ડરેલી વિદ્યાર્થિની બહાર દોડી ગઈ હતી, ત્યારબાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારબાદ તે દોડીને કેબિન બહાર જતો રહ્યો હતો. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી, પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી. ત્યારબાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા. L.D કોલેજમાં રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ સામે અનેક ફરિયાદો થઈ હતી. આ વિદ્યાર્થી નેતા NSUI નો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ વિદ્યાર્થિઓ સામે અન્ય વિદ્યાર્થીઓને હેરાન કરવા સહિતની ફરિયાદો હતી જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા. ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહીં થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી ફેરવીને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે વર્ગખંડના દરવાજા બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક NSUI સાથે જોડાયેલા છે. જેમાં અર્જુન રબારી L.D કોલેજનો ઉપપ્રમુખ છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">