Rathyatra 2022: જગતના નાથની ઝાંખી માટે વહેલી સવારથી માનવ મહેરામણ, બે વર્ષ બાદ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠશે રસ્તા

Ahmedabad Jagannath 145th Rath Yatra: લોકો સવારથી જ જમાલપુર ખાતેના જગદીશ મંદિર ખાતે તેમજ રથયાત્રાના(Rathyatra) રૂટ પર ગોઠવાઈ ગયા છે. જે ક્ષણોની રાહ જોવાતી હતી, તે ક્ષણો આવી ગઈ છે. સતત બે વર્ષના વિરહ બાદ ભગવાન પોતે તેમના ભક્તોના ખબરઅંતર પૂછવા નીકળવાના છે

Rathyatra 2022: જગતના નાથની ઝાંખી માટે વહેલી સવારથી માનવ મહેરામણ, બે વર્ષ બાદ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠશે રસ્તા
Ahmedabad Jagannath 145th Rath Yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:46 AM

આજે અમદાવાદમાં ઉલ્લાસભેર 145મી રથયાત્રા (Rathyatra)નીકળી રહી છે ત્યારે બે વર્ષ બાદ ભગવાન ભક્તોના મનોરથ પૂરાં કરવા માટે  જગદીશ મંદિર ખાતેથી (Jagdish mandir)નગરચર્યાએ નીકળી રહ્યા છે. અને શહેર પણ ઇશ્વરની ઝાંખી કરવા માટે તરસતું હોય તેમ રથયાત્રા નીકળવાની છે ત્યારે લોકો સવારથી જ જમાલપુર ખાતેના જગદીશ મંદિર ખાતે તેમજ રથયાત્રાના રૂટ પર ગોઠવાઈ ગયા છે. જે ક્ષણોની રાહ જોવાતી હતી, તે ક્ષણો આવી ગઈ છે. સતત બે વર્ષના વિરહ બાદ ભગવાન પોતે તેમના ભક્તોના ખબરઅંતર પૂછવા નીકળવાના છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉત્સાહનો માહોલ અવર્ણનીય છે. ભગવાન જગ્ન્નાથ, ભાઈ બળદેવજી અને  બહેન સુભદ્રાને સવારમાં ગવાર કોળાનું શાક,  અને ડ્રાયફૂટ ખીચડી  ધરાવવામાં આવશે ત્યાર બાદ નગરચર્યા માટે  પ્રસ્થાન કરશે.  તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરશે.

Devotees flocked to the temple premises to pay homage to the Lord

Devotees flocked to the temple premises to pay homage to the Lord

સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અષાઢી બીજની આરતી કરીને ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. તો મંદિરના મહંત દીલીપદાસજીએ તેમને જગ્ન્નાથજીનો ખેસ ઓઢાઢીને અક્ષત કુમકુમથી તિલક કર્યું હતું.

જગદીશ મંદિર પરિસર, તેમજ તેનાથી આગળ ફૂલબજાર, જમાલપુર ચકલા અને રથયાત્રાના સમગ્ર રૂટ પર રાતથી જ દર્શનાર્થીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તો સૌ પ્રથમ પસાર થાત ગજરાજ પણ મંદિર સમક્ષ આવી ગયા હતા. પરંપરા મુજબ ગજરાજ ભગવાન જગ્નાનાથના દર્શન કરીને સૌ પ્રથમ રથાત્રાનું નેતૃત્વ કરતા રવાના થતા હોય છે. આજે શહેરના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠશે. દર્શનની તક ચૂકવી ન હોયતેમ સવારથી જ લોકો જગદીશ મંદિરના મુખ્ય માર્ગો ઉપર ગોઠવાઈ ગયા છે તેમજ રથાત્રા પસાર થવાની છે તે રૂટ ઉપર પણ બંને બાજુ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. અને ભગવાનના રથ બહાર નીકળે તેના દર્શન માટે કતારમાં ગોઠવાઈ ગયા હતા.  તો ભગવાન સમક્ષ  નૃત્ય અને ગરબાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

રથયાત્રા દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા સૌને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે સાથે સાથે કોર્પોરેશન પણ માસ્કનું વિતરણ કરશે.

101 ડેકોરેશન કરેલા ટ્ર્ક વિવિધ ટેબ્લો અને સંસ્કૃતિની ઝાંખી  કરાવશે.

તો  અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાની સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">