Ahmedabad: કોરોનાનો ભરડો, છેલ્લા 5 દિવસમાં 44 પોલીસ જવાન થયા સંક્રમિત

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, તે રીતે જ ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં પણ કોરોના વકરી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસના 14 હજાર કર્મચારીઓને કોરાના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાય છે.

Ahmedabad: કોરોનાનો ભરડો, છેલ્લા 5 દિવસમાં 44 પોલીસ જવાન થયા સંક્રમિત
Gujarat Police - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 05, 2021 | 10:04 PM

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, તે રીતે જ ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં પણ કોરોના વકરી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસના 14 હજાર કર્મચારીઓને કોરાના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાય છે. જેમાંના 44 જેટલા પોલીસ કર્મી કોરોના સંક્રમિત થયા છે. જો કે તમામ પોલીસ કર્મચારીઓ હોમ આઈસોલેટમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોનાની બીજી લહેર પોલીસ માટે બની કહેર શહેર પોલીસમાં ફરજા બજાવતા 14 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે. આમ,વેક્સીનેશન પછી પણ પોલીસ તંત્રમાં કોરોના વકરવા લાગતા ચિંતા ઘેરી બની છે. પરંતુ જાણીતા ડૉક્ટરનું કહેવું છે કે વેક્સિનેશન બાદ કોરોનાની ઘાતક અસર જોવા નથી મળતી, જેનાથી વેક્સિન ડોઝ લીધા બાદ કોરોના થાય તો ચિંતા કરવી ન જોઈએ. કારણકે તેનામાં સામાન્ય અસરો જોવા મળે છે. જો કે 44 જેટલા પોલીસ કર્મી કોરોના પોઝિટીવ આવ્યો છે, જે બધા હોમ આઈસોલેટ થયા છે, જેમાં ઝોન-1 ડીસીપી ડો. રવિંન્દ્ર પટેલ પણ છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

શહેર પોલીસ કર્મીને કોરોનાથી સંક્રમિત અટકાવવા પોલીસ કર્મચારીઓની શિફ્ટમાં પણ ફેરફાર કર્યો છે. સાથે જ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી માટે દવાઓ, માસ્ક, સેનેટાઈઝર, નેબ્યુલાઈઝર મશીન અને ટેલિમેડીકલની સુવિધા ઉપલબ્ધ કરી. ઉલ્લેખનીય છે કે કોરોનામાં અત્યાર સુધીમાં 1,584 જેટલા પોલીસ કર્મી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 16 જેટલા પોલીસ કર્મીઓ કોરોનામાં જીવ ગુમાવ્યો. પરતું ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા પોલીસ કર્મી માટે કોરોના સંક્રમિત ન બને તે માટે પોલીસ વિભાગે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે.

Gujarat Corona Update: રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2,276, 28 માર્ચે 2,270, 29 માર્ચે 2,252, 30 માર્ચે 2,220, 31 માર્ચે 2,360 અને 1 એપ્રિલે 2,410 કેસ 2જી એપ્રિલે 2,640 અને 3જી એપ્રિલે 2,815 અને 4 એપ્રિલે 2,875 નવા કેસ સામે આવ્યાં બાદ 5 માર્ચે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં 3,160 કેસ, 15 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 5 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3,160 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 15 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 7, અમદાવાદમાં 6 અને ભાવનગર તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,21,598 થઈ છે.

આ પણ વાંચો: Valsad: ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એક વખત નશીલા કારોબારનો પર્દાફાશ થયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">